________________
૩૩૪.
[ શ્રી વીર-વચનામૃત
એમાં સંશય નથી કે વિવિધ સ્થાનોમાં વસનારા મનુષ્ય કઈને કઈ વખતે પિતાનું સ્થાન છેડશે. જ્ઞાતિ અને સહદેની સાથેનો આ વસવાટ અનિત્ય છે. આ વિચાર કરીને પંડિત પુરુષ આત્માના મમત્વભાવનો છેદ કરી નાખે તથા સર્વ ધર્મોથી અનિંદ્ય એવા આર્યધર્મને ગ્રહણ કરે. अणु माणं च मायं च, तं पडिन्नाय पंडिए । आयतटुं सुआदाय, एवं वीरस्स वीरियं ।। ११ ।।
[ સુ. મુ. ૧, અ૦ ૮, ગા૦ ૧૮ ] પંડિત પુરુષ બૂરું ફળ જાણીને માન કે માયાનું - અણુમાત્ર સેવન ન કરે. તે આત્માર્થને સારી રીતે ગ્રહણ કરે, એ જ વીર પુરુષની વીરતા છે.
अइक्कम्मति वायाए, मणसा वि न पत्थए । सबओ संवुडे दन्ते, आयाणं सुसमाहरे ॥ १२ ॥
[ મૂ, મુ. ૧, અ૦ ૮, ગાઇ ૨૦] સાચે વીર હિંસક વાણીનો પ્રયોગ ન કરે, તેમ મનથી પણ કોઈ પણ પ્રાણીની હિંસા કરવાનું ન વિચારે. તે સર્વથા સંયમી બને, પિતાની ઇન્દ્રિયોને જિતે તથા મોક્ષમાર્ગનાં સાધનોને ગ્રહણ કરે. कडं च कज्जमाणं च, आगमिस्सं च पावगं । सव्वं तं णाणुजाणन्ति, आयगुत्ता जिइंदिया ॥ १३ ॥
[ સૂ૦ શ્રુ. ૧, અ૦ ૮, ગા. ૨૧ ] જે આત્મગુપ્ત અને જિતેન્દ્રિય પુરુષ છે, તે