________________
થડાવશ્યક ]
૩૪૩
વિસાવદ્યાગ એટલે પાપકારી પ્રવૃત્તિ. તેની નિવૃત્તિ એટલે તેમાંથી વિરામ પામવાપણું, તાત્પર્ય કે કઈ પણ જીવ સામાયિકની કિયા અંગીકાર કરે છે, ત્યારે “હું મન-વચન-કાયાથી કઈ પાપ કરીશ નહિ કે કરાવીશ નહિ” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને તે અનુસાર સામાયિક દરમિયાન કોઈ પણ પાપકારી પ્રવૃત્તિ કરતું નથી. એ વખતે ધર્મધ્યાનાદિ શુભ પ્રવૃત્તિ જ કરે છે. એક સામાયિકને કાળ બે ઘડી એટલે અડતાલીસ મીનીટનો ગણાય છે. સામાયિક એ બે ઘડીને યોગ છે. તે અંગે વધારે જાણવા ઈચ્છનારે ધર્મબોધ ગ્રંથમાળામાં અમારું લખેલું બે ઘડી ગ” નામનું પુસ્તક અવશ્ય જેવું.
चउव्वीसत्थएणं भन्ते ! जीवे किं जणयइ ? चउव्वीसत्थएणं दसणविसोहिं जणयइ ॥ २ ॥
[ ઉત્તઅ૨૯, ગા૦ ૯] પ્રશ્ન–હે ભગવન્! ચતુર્વિશતિ-સ્તવથી જીવ શું ઉપાર્જન કરે?
ઉત્તરહે શિષ્ય ! ચતુર્વિશતિ-સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિ ઉપાર્જન કરે.
વિટ દર્શનવિશુદ્ધિ એટલે સમ્યક્ત્વની નિર્મળતા. તાત્પર્ય કે ચોવીશ તીર્થંકરના ગુણેનું અદ્ભુત કીર્તન કરતાં સમ્યકત્વમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે અને દેવ-ગુરુધર્મ પ્રત્યેની શ્રદ્ધા ખૂબ મજબૂત બને છે.