________________
૩૩૮
[ શ્રી વીર–વચનામૃત
(૮) પ્રભાવના.
વિજિનવચનમાં શંકા ન રાખવી, એ નિશક્તિ નામનું પ્રથમ અંગ. જિનમત વિના અન્ય મતની આકાંક્ષા ન કરવી, એ નિઃકાંક્ષિત નામનું બીજું અંગ. ધર્મકરણના ફળમાં સંદેહ ન રાખે, એ નિર્વિચિકિત્સા નામનું ત્રીજું અંગ. અન્ય મતવાળાએાના ભપકાથી અંજાઈ ન જવું, એ અમૂઢદષ્ટિ નામનું ચોથું અંગ. સમ્યક વધારીને ઉત્તેજન આપવું, એ ઉપવૃંહણ નામનું પાંચમું અંગ. કઈ સમ્યકત્વમાંથી ડગતે હેય તે તેને સ્થિર કરે, એ સ્થિરીકરણ નામનું છઠ્ઠ અંગ. સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય દાખવવું એટલે કે તેની દરેક પ્રકારે ભક્તિ કરવી, એ સાધર્મિક-વાત્સલ્ય નામનું સાતમું અંગ અને જિનશાસનની પ્રભાવને થાય અર્થાત્ લેકેમાં તેને પ્રભાવ વધે, એવાં કામ કરવાં, એ પ્રભાવના નામનું આઠમું અંગ. मिच्छादसणरत्ता, सनियाणा हु हिंसगा ।। इय जे मरंति जीवा, तेसिं पुण दुल्लहा बोहि ॥ ३ ॥
[ ઉત્તઅ૩૬, ગા. ૨૫૮ ] જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, સાંસારિક ફળની અપેક્ષાપૂર્વક ધર્મકરણ કરનારા છે તથા હિંસક છે, તે એ જ ભાવનાઓમાં મરતાં દુર્લભધિ થાય છે, અર્થાત તેમને સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિ જલ્દી થતી નથી. इओ विद्धंसमाणस्स, पुणो संबोहि दुल्लहा । दुल्लहाओ तहच्चाओ, जे धम्म? वियागरे ॥ ४ ॥
[ સ૦ મૃ૦ ૧, અ૦ ૧૫, ગા. ૧૮ ]