________________
સમ્યકત્વની ભૂમિકા
૧૫
અવતરણઃ—પૂર્વ ગાથામાં સમ્યક્ત્વાદિ શ્રાવક ધમ કહીશ એમ કહ્યું તેમાં પ્રથમ શ્રાવક શબ્દને અથ કરીને હવે આ ગાથામાં સમ્યક્ત્વ શબ્દને અથ કહેવાય છે—
तत्तत्थसहाणं, सम्मत्तमसग्गहो न एयम्मि | मिच्छत्तखओवसमा, सुस्सुसाई उ होंति दढं || ३ ||
ગાથાય—તત્ત્વાર્થીની શ્રદ્ધા તે સમ્યક્ત્વ, અને તે મિથ્યાત્વ માહનીય કર્મના ક્ષયાપશમથી થાય છે. એ સમ્યક્ત્વમાં અસદાગ્રહ (કદાગ્રહ) ન હેાય, અને શુશ્રુષા આદિ (ધર્મશાસ્ત્ર સાંભળવું ઇત્યાદિ) અત્યન્ત હોય છે. ગા ॥ સમ્યક્ત્વનું સ્વરૂપ ॥
ભાવા-તાત્ત્વિક અર્થની એટલે જીવ અજીવ આદિ તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા-પ્રતીતિ એટલે જીવ અજીવ આદિ પદાર્થો છે જ અને તે જે પ્રમાણે સંજ્ઞ ભગવંતાએ દર્શાવ્યા છે તે પ્રમાણેજ છે, પરન્તુ બીજી રીતે નથી એવી હૃદયમાં સૌંપૂર્ણ ખાત્રી થવી તે સમ્યક્ત્વ. કારણ કે એ ખાત્રીમાં જીવના મેધનું સમ્ય=સમ્યક્ પ્રકાર, સ્વ=પણું છે માટે સમ્યક્ત્વ. અહિં સમ્યકૃત્વ” એ જૈનદર્શનના પારિભાષિક શબ્દ છે તેથી કેવળ જૈનદર્શનમાં જ સમ્યક્ત્વ છે એમ એકાન્તે નથી, પરંતુ જૈનદર્શન સિવાયના કોઇ પણ દનવાળા જીવને “સર્વજ્ઞ હાવા જોઈએ અને સર્વજ્ઞાએ કહેલુ એ જ સત્ય બીજી નહિ જ.” એવા હૃદયગત
तत्वार्थश्रद्धानं सम्यक्त्वमसग्रहो न पतस्मिन् । मिथ्यात्वक्षयोपशमात् शुश्रूषादयस्तु भवन्ति दृढम् ।