________________
સામાયિક વ્રત
૨૩૫
અતિચારને અહિ સામાયિક નામના નવમા શ્રાવક વ્રતમાં અથવા પહેલા શિક્ષાવ્રતમાં પ્રયત્નથી વવા. ॥ ૨૬ ॥
ભાવા—મુહુર્રાદિકાળ પ્રમાણવાળુ' સામાયિક વ્રત અંગીકાર કરનાર શ્રાવકને સામાયિકમાં વતતાં મનમાં આત ધ્યાન રૌદ્રધ્યાન ચિંતવવું, તે મનનું દુઃપ્રણિયાન એ અતિચાર છે. સાવદ્ય વચન એલવુ તે વચનનું દુષ્પ્ર ણિધાન એ અતિચાર છે. અને કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ કરવી તે કાયાનું દુપ્રણિધાન એ અતિચાર છે. તથા મેં સામાયિક કયુ` કે નથી કર્યું તે સંભારવું નહિ તે સ્મૃતિ અકરણ અતિચાર છે. માક્ષનાં અનુષ્ઠાનેામાં કર્યાં ન કર્યાના ઉપયોગ અવશ્ય રાખવા જોઇએ. છતાં તે ન રાખે તે અતિચાર છે. તથા સામાયિક લઈને કાળ પૂર્ણ થયા વિના અધૂરૂ મૂકીને ઊઠી જાય અથવા કાળ પૂર્ણ થયા હોય તે જાણે નહિ એ રીતે સામાયિકને જેમ તેમ આટોપી લેવુ' અથવા અવ્યવસ્થિત બેસી રહેવું તે અનવસ્થિત કરણ નામને અતિચાર છે.
એ અતિચારાની વિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે— ૧ મનેાદુપ્રણિધાન અતિચાર—સામાયિક લઈને ઘરની ચિંતા કરે, કુટુંબની ચિંતા કરે, વ્યાપારની ચિંતા કરે એ રીત આહટ્ટ હટ્ટ (આત વશાત) ધ્યાનને પ્રાપ્ત થાય તે તેનું સામાયિક નિરક જાણવુ. આ અતિચાર અનાભાગતા ઇત્યાદિ કારણથી જાણવા, પરન્તુ જાણીને દૃધ્ધિતવન કરે ત। વ્રતભંગ થાય છે.