Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 352
________________ શ્રાવની દિનચર્યા ૩૨૫ સુધી જ છે. માટે આ પાંચમા આરામાં ધર્મને લાભ પ્રાપ્ત કરે તે હિતકારી છે. એવી ભાવના ભાવવી તે કાળથી ક્ષણ લાભ દીપના છે. ' ૪ ભાવથી ક્ષણુ લાભ દીપના ભાવની અપેક્ષાએ ક્ષણ પદનો અર્થ બોધિ એટલે સમ્યકત્વ તેને લાભ ચિંતવો તે ભાવથી ક્ષણ લાભ દીપના. તે આ પ્રમાણે ધર્મની પ્રાપ્તિ સમ્યકત્વથી એટલે તાત્વિક શ્રદ્ધાથી છે. શ્રી જિનેશ્વરેએ જીવ અજીવ આદિ જે તે દર્શાવ્યાં છે તે જ ત છે અન્ય નહિ. અનાદિ કાળથી જીવને એ બેધિ ક્ષણ પ્રાપ્ત થયો નથી. માટે જ ભૂતકાળમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી રખડો છે, અને હજી પણ જો એ ભાવ ક્ષણ બાધિ) પ્રાપ્ત નહિ થાય તે ભવિષ્યમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી જીવને રખડવું પડશે. અભવ્ય જીવને ભાવ ક્ષણના અલાભથી જ અનાદિ અનન્ત કાળ સંસારમાં રખડવું પડે છે. ભવ્ય જીવને તથાવિધ ભવ્યત્વના પરિપાકથી ભાવ ક્ષણ (બંધિ) પ્રાપ્ત થાય છે, અને એ ભાવ ક્ષણને એ મહાન પ્રભાવ છે કે અન્તર્મુહૂર્ત માત્ર પણ જે એકવાર ભાવ ક્ષણ પ્રાપ્ત થાય તે ભવિષ્યના અનન્ત પુદ્દગલ પરાવત સંસાર ત્રુટીને માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્તના જેટલજ અલ્પ સંસાર બાકી રહે છે. જીવાજીવાદિ પદાર્થોના જ્ઞાનથી એ ભાવ ક્ષણ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મના તથા વિધ ક્ષયપશમના અભાવે જીવાજીવાદિ તત્વેનું વિશિષ્ટ જ્ઞાન ન થાય તે “મેર ન કવિ પત્ર= તેજ સત્ય છે કે જે શ્રી જિનેશ્વરાએ કહ્યું છે, ઐથવા જિનેશ્વરાનું

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380