Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 337
________________ ૩૧૦ શ્રાવકધર્મ વિધાન ૬ –ઝેરી દેહવાળાના સ્પર્શથી (જેમ વિષ કન્યાના સ્પર્શથી આયુષ્ય ઘટે. ૭ શ્વાસોચ્છવાસ–અતિ શ્વાસોચ્છવાસ લેવાથી તથા શ્વાસોચ્છવાસ બંધ કરવાથી એમ બંને રીતે આયુષ્ય ઘટે છે. એ પ્રમાણે આયુષ્ય ઘટવાના ૭ ઉપક્રમ ૧ આયુષ્ય અપવર્તનીયને અનપવર્તનીય એમ બે પ્રકારનું છે, તેમાં જે આયુષ્ય ઉપક્રમ મળતાં ઘટે તે અપવર્તનીય, ને ઉપમેથી (આયુ ઘટવાના નિમિત્તોથી) પણ ન ઘટે એવું આયુષ્ય અનપવર્તનીય કહેવાય. દેવ, નારક, યુગલિક ચરમ શરીર ને ઉત્તમ શરીરી એ પાંચનું આયુષ્ય અનાવર્તનીય વા નિરૂપક્રમી હોય છે, ને શેષ મનુષ્ય તિર્ધાનું આયુષ્ય અપવર્તનીય ને અનપવર્તનીય એમ બન્ને પ્રકારનું હોય છે. પ્રશ્ન-આયુષ્ય જે રીતે બાંધ્યું હોય તે રીતે ઉદયમાં આવવું જ જોઈએ તે કોઈનું ઘટી શકે ને કેાઈનું આયુષ્ય ન ઘટી શકે એમ બનવાનું કારણ શું? उत्तर-जमिहगाढनिकायणबद्धं सिढिल च तंजहाजोगं । ઈત્યાદિ વચનાનુસારે પૂર્વ ભવમાં જે વખતે આયુષ્ય બાંધ્યું તેજ વખતે તથા પ્રકારના યોગ અને પરિણામને અનુસારે ગાઢ નિકાચન બંધથી (અતિ દઢ બંધથી) અથવા શિથિલ બંધથી [ઢીલા બંધથી બાંધ્યું છે, તે કારણથી આ ભવમાં ઉદય વખતે પણ દઢ ઉદયમાં આવવાથી અધ્યવસાયાદિ ૭ ઉપક્રમે લાગતા નથી, અર્થાત એ છે ઉપક્રમોથી આયુષ્ય ઘટતું નથી. ને જે પ્રથમથી જ શિથિલ બંધથી બાંધ્યું છે તે ઉદય આવતી વખતે શિથિલ ઉદય આવવાથી એ સાતે ઉપક્રમો આયુષ્યને અસર કરી શકે છે. અર્થાત ઉપક્રમોથી આયુષ્ય

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380