Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 347
________________ ૨૦. ' શ્રાવકધર્મ વિધાન ( ૭ ચકM (રાધવેધનું)–અનેક પ્રકારની ચક્ર રચનાથી યુકત થાંભલા ઉપર રહેલ પુતળીની ડાબી આંખને તેલના પ્રતિબિંબમાં જોઈને વિધવાનું કામ અતિ કઠણ છે, તે પણ માને કે કલાના ગે કરી શકે. પરંતુ ધાર્મિક અનુષ્ઠાને સિવાય મનુષ્ય ભવ ફરીથી મળ, ઘણેજ મુશ્કેલ છે. ૮ ચમ (પૂર્ણચંદનું)–ઉંડા પાણીના કહમાં રહેલા એક કાચબાને તે કહના પાણી ઉપર રહેલ સેવાલમાં છિદ્ર પડવાથી કે પૂર્ણિમાના ચંદનાં દર્શન થયાં. તે ચંદ્ર પિતાના બાળ બચ્ચાં વગેરેને દેખાડવા માટે તેમને બોલાવવા કાચ ગયે. પરંતુ દ્ધિ પૂરાઈ જવાથી ફરીથી તે કાચબાને ચંદ્રનું દર્શન થયું નહિ. કદાચ ભાગ્યયોગે છિદ્ર પડવાથી ફરીથી તેને ચંદ્રનું દર્શન થાય, પરંતુ પુણ્ય વિના મનુષ્ય ભવ ફરીથી મળ અશક્ય છે. ૯ યુગ અને સમેલનું–બળદના સ્કંધ પર રખાતી ધૂંસરી અને સમેલને કઈ દેવ સમુદ્રના પૂર્વ પશ્ચિમ કાંઠે મૂકે. સમુદ્રના તરંગોથી અથડાતાં તે બે ભેગાં થાય અને યુગના છિદ્રમાં સામેલ આવી જાય તે બનવું મુશ્કેલ છે, તેમ વિષયેના ઉપભોગમાં આસકત રહેલા જીવને ફરીથી મનુષ્ય ભવ પામ ઘણું મુશ્કેલ છે. ૧૦ પરમાણુનું ચૂર્ણ —કઈ દેવતાએ કૌતુકથી કાષ્ટ વગેરેના થાંભલાનું ચૂર્ણ કરી એક નળીમાં ભરી મેરૂપર્વતના શિખર ઉપર ઉભા રહી ફૂંક મારીને તે ચૂર્ણને ચારે દિશાઓમાં વિખેરી નાખ્યું. તે દેવ પાછો ફરીથી કાષ્ટને પરમાણુઓને સ્તંભ બનાવવાનું છે તે બની શકે ખરો ? કદાચ બને પરંતુ હારી ગએલ માનવ ભવ મહાપુણ્યનાં સંયમ વિના ફરીથી મળી શકતો નથી. ઉપરનાં દશ દષ્ટાતોથી દુર્લભ મનુષ્ય ભવ ફરીથી મેળવવાની આકાંક્ષા નકામી છે. કારણકે અનંતી પુણ્યની રાશિ એકઠી કર્યા

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380