Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 346
________________ શ્રાવકની દિનચર્યાં ૩૧૯ ૩ ધાન્યનુ —ભરતક્ષેત્રમાં સર્વાં ધાન્યને એક ઢગલા કરી તેમાં એક શેર સરસવના દાણા ભેળવીને તે દાણાને તેમાંથી વીણી કાઢવાને વૃદ્ધ શ્રી ગમે તેટલી મહેનત કરે તેા પણ જુદા પાડી શકે નહિ. માતા કે કદાચ તેમ કરી શકે તો પણ ગુમાવેલ મનુષ્ય ભવ ફરીથી મળે નહિ. ૪ દ્યૂત (જુગાર)—પિતા પાસેથી રાજ્ય લેવા ઈચ્છતા રાજપુત્રે રાજાની શરત કબુલ કરી, તેમાં ૧૦૦૮ થાંભલાવાળી રાજસભામાં દરેક સ્તંભ પર એકસેા આઠ ખુણા છે. રમતમાં એક વખત જીતે ત્યારે એક ખુણા ત્યા ગણાય. હારે ત્યારે જીતેલું બધું જાય. આવી રમતમાં કદાચ રાજપુત્ર પેાતાની કલાથી ૧૦૮ ખુણાવાળા ૧૦૦૮ સ્તંભોને જીતી લે, પરંતુ પાપકર્માંથી હારેલ મનુષ્ય ભવ ફરી મળી શકે નહિ. ૫ રત્નનું—એક શેઠે ધણું દ્રવ્ય વેચીને કિંમતી રત્ને ભેગાં કર્યા હતાં. તે શેડ કામ પ્રસંગે પોતાના પુત્રોને હકુમત સાંપી બહારગામ ગયા ત્યારે અજ્ઞાની પુત્રોએ દૂર દૂરથી આવેલા અનેક ઝવેરીઓને તે રત્ના વેચી નાખ્યાં. ધેર આવેલ શેઠે આ વાત જાણી પુત્રાને ઠપકા આપીને કહ્યું કે વેચી નાખેલાં બધાં રત્નો પાછાં લાવશે નહિ ત્યાં સુધી ધરમાં આવવા દઈશ નહિ. પુત્ર તે બધાં રત્ને પાછાં મેળવી શકે ખરા ? કદાચ ધારા કે મેળવે પરંતુ પ્રમાદી જીવ ગએલા મનુષ્ય ભવ ઈચ્છે તે પણ મેળવી શકે નહિ. હું સ્વ×નું—દેશાંતરમાં ફરવા ગએલા એક રાજપુત્ર કાઈ ધમ શાળામાં રાત્રે એક ભિખારી સાથે સૂતા. ભાગ્યયેાગે તે બંનેને પૂર્ણિમાના ચંદ્રનું સ્વમ આવ્યું. વિધિ જાણનાર રાજપુત્રને અઠવાડિયામાં રાજ્ય મળ્યું તે ભિખારીને તે સ્વમથી ખીર મળી. ભિખારી પોતાને ફરી તે સ્વમ આવેઅને રાજ્ય મળે તેવી ઈચ્છા દરરાજ રાખે છે, પરંતુ ફરીથી તે સ્વપ્ત મળે ખરૂ`? કદાચ ભાગ્યયોગે મળે તા પણ ગએલા મનુષ્ય ભવ મળે નહિ.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380