________________
૧૧૪
શ્રાવકધમ વિધાન
તેમ સ્ત્રીઓને માં એ પાંચ અતિચાર છે કે નહિ ?તેમજ પુરૂષને જેમ પરસ્ત્રી ત્યાગ ને સ્વદાર સ ંતોષ એ એ સયુક્ત પ્રતિજ્ઞા પણ હાય છે તેમ સ્ત્રીઓને પણ એવી બે સંયુક્ત વા છૂટી પ્રતિજ્ઞા હોય કે નહિ ?
ઉત્તર—અને સ્વપુરૂષ સતષ અને પરપુરૂષ ત્યાગ એ એ પ્રતિજ્ઞામાં કઈ ભેદ નથી, કારણ કે સ્ત્રીને તે પેાતાના પરણેલા પુરૂષથી અન્ય સર્વે પુરૂષો પરપુરૂષ હાવાથી તેના ત્યાગ જ હોય છે; તેથી સ્ત્રીને સ્વપુરૂષ સ તાષમાં જ પરપુરૂષ ત્યાગ આવી જાય છે, માટે એ પ્રતિજ્ઞાની જરૂર નથી; જેથી પરપુરૂષથી ઉપજવા ચેાગ્ય ઇત્વરગમન અને અપરિગ્રહીતગમન એ બે અતિચાર નથી, તેથી એ પાંચે અતિચાર કેવળ સ્વપુરુષ આશ્રયી છે તે આ પ્રમાણે-
૧ ઇન્વરપુરૂષગમન અતિચાર—પોતાના પતિને અધિક સ્ત્રીએ હોય ત્યારે બીજી સ્ત્રીના વારાને દિવસે પોતે પતિની સાથે ગમન કરે તેા તત્ત્વથી તે દિવસે એ સ્ત્રીને માટે પોતાના પતિ પણ પરપુરૂષ હાવાથી વ્રતના ભંગ છે, પરન્તુ સ્ત્રી એમ સમજે છે કે એ પરપુરૂષ નથી, પશુ પતિ છે, એ આશયથી વ્રતને ભંગ નથી માટે ભગાભગ રૂપ અતિચાર છે.
૨ અપરિગ્રહીત પુરુષગમન અતિચાર—પરણેલા પુરૂષ સિવાય બીજા પુરૂષની સાથે સ્નેહ બાંધીને હજી વિષયક્રીડા કરી નથી, પરન્તુ વિષયક્રીડા કરવાનું મન થયું છે તે અતિક્રમ અથવા પરપુરૂષનું ચિંતવન એ અતિક્રમ,