________________
૨૧૦
શ્રાવકધર્મવિધાન
૪ વાણુહ (ઉપાનહ) –જેડાં, બુટ, ચંપલ, મેજા વિગેરે, તેની સંખ્યા નિયત કરવી. ભૂલથી પણ આવે તે જયણ રાખવી.
૫ તંબેલ–પાન, સોપારી, ઈલાયચી, તજ, લવિંગ વગેરે મુખવાસની વસ્તુઓ વજનથી (અળાદિક) રાખવી.
૬ વસ્ત્ર--પહેરવાં ઓઢવાનાં વસ્ત્રની સંખ્યા નકકી કવી. ધાર્મિક કાર્યમાં જયણા રાખવી, ભૂલથી બીજાનું પહેરાય તે ગણાય નહિ.
૭ કુસુમ–-સુંઘવામાં આવતી દરેક વસ્તુઓ તેનું વજન નક્કી કરવું. ઘી વિગેરેના ડબ્બા સુંધાય નહિ સુંઘવાની જરૂર પડે તે તે વસ્તુ આંગળી ઉપર લઈને જ સુંઘવાને અભ્યાસ રાખ.
૮ વાહન-મુસાફરીનાં સાધને ફરતાં, ચરતાં અને તરતાં એમ ત્રણ પ્રકારનાં છે. તેમાં ૧ ફરતાં-ગાડી, મોટર, રેલ્વે, ટ્રામ, એરોપ્લેન વગેરે. ૨ ચરતાં-ડા, ઉંટ વગેરે સારીનાં પશુ વાહને ૩ તરતાંવહાણ આગબોટ તથા જળ માર્ગે જવાનાં જે જે સાધન હોય છે. આ ત્રણેની ભેગી કે જુદી જુદી સંખ્યા નક્કી કરવી, ( ૯ શયન--સૂવા માટે પાથરવાની ચીજો સાથે બેસવાનાં આસનેને પણ સમાવેશ થાય છે. ખાટલા, પલંગ, ગાદલાં, ખુરશી આદિની સંખ્યા નક્કી કરવી.
૧૦ વિલેપન––શરીરે લગાડવાનાં દ્રવ્ય તેલ, અત્તર સેન્ટ આદિ વજનથી રાખવાં. (કાંસકા-કાંસકી-દાંતીયા વગેરે પણ અહીં સંખ્યાથી ધારી લેવાં.)