________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
=
કદી સંબંધ થયો છે કે ન તો ભવિષ્યમાં થશે. જેવી મુક્તિને પ્રાપ્ત યોગીની, पूर्वबंधकोटि : મુક્તિના પૂર્વકાળમાં (પહેલાં) શરીર આદિનાં બંધનની સ્થિતિ હોય છે, તે પ્રકારની ઈશ્વરની નથી. અથવા જેવી પ્રકૃતિત્તીનસ્ય = પ્રકૃતિલય યોગીની (ચિત્ત આદિનું નિવૃત્ત ન થવાથી) ઉત્તરા= બાદમાં વધોટિ = શરીર આદિ બંધનની સ્થિતિ સંભવ છે, તેવા પ્રકારની ઈશ્વરની નથી. તે તો સદાથી જ મુક્ત છે અને સદાથી રૂંવર – સર્વાતિશાયી ઐશ્વર્યવાળા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[પ્રશ્ન] જે આ ઈશ્વરનું પ્રĐસત્ત્વોપાવાનાત - સર્વતોત્કૃષ્ટ સર્વાતિશાયી સત્ત્વ = પ્રલય આદિમાં પણ અવિનશ્વર, અનાદિ અથવા સત્ત્વ=જે ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ આદિ ગુણોનું ગ્રહણ કરવાથી શાશ્ર્વતિસાર્વકાલિક (સદા રહેનારા) ૩ર્ષ =ઐશ્વર્ય છે. શું તે સનિમિત્ત : પ્રમાણ સહિત છે અથવા પ્રમાણ રહિત છે ?
[ઉત્ત૨] તે ઈશ્વરના શાશ્વતિક ઉત્કર્ષ (ઐશ્વર્ય)માં શાસ્ત્ર-વેદ પ્રમાણ છે. (પ્રશ્ન) વેદનું પ્રમાણ શા માટે છે ? (ઉત્તર) પ્રત્કૃષ્ટ-સત્ત્વ નિમિત્ત-અનાદિ શુદ્ધ સ્વરૂપ ઈશ્વરનું ઉત્કૃષ્ટ ગુણ બળ પ્રમાણ છે. (કેમ કે વેદ ઈશ્વરીય જ્ઞાન છે. જેમ કે વેદાન્ત દર્શનમાં સ્પષ્ટ કહ્યું છે - ‘શાસ્ત્રયોનિસ્ત્વાત્ અર્થાત્ વેદનું કારણ પરબ્રહ્મ છે) આ વેદ અને ઐશ્વર્યના ઈશ્વરના સત્ત્વ = શુદ્ધ સ્વરૂપમાં સદા વર્તમાન હોવાથી અનાદિ સંબંધ છે. તેનાથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વર સદાથી અતિશય ઐશ્ચર્યવાળા છે. અને સદાથી જ મુક્ત છે. અને તેમનું તે ઐશ્વર્ય સામ્ય= તુલ્યતા અથવા અતિશયતા રહિત છે. અર્થાત્ ઈશ્વરની સમાન તથા તેમનાથી અધિક કોઈ જ નથી અને તે ઈશ્વર કોઈ પણ બીજા ઐશ્વર્યથી અતિક્રાન્ત નથી કરી શકાતા. જે સર્વાતિશાયી છે તે જ ઈશ્વરનું ઐશ્વર્ય છે. એટલા માટે જેમાં ઐશ્વર્યની જાજ્ઞાપ્રાપ્તિ : = ચરમસીમા છે, તે ઈશ્વર છે. તેમની સમાન કોઈનું ઐશ્વર્ય નથી. (અર્થાત્ તે રાજાઓના પણ રાજા છે. તેમની પર કોઈનું પણ ઐશ્વર્ય=પ્રભુતા નથી) તેમાં કારણ એ છે કે બે તુલ્ય (સરખી) વસ્તુઓમાં અભિષ્ટ કોઈ પણ એક વસ્તુમાં એક જ કાળમાં આ વ્યવહાર થાય છે. આ નવીન છે, આ પ્રચીન છે. આ પ્રમાણે એક વસ્તુની ઇષ્ટસિદ્ધિથતાં બીજી વસ્તુની અભિષ્ટ સિદ્ધિમાં વિધાત–વિરોધ થવાથી ન્યૂનતા–કમી થઈ જાય છે. એ કદી પણ નથી થઈ શકતુ કે બે સરખી વસ્તુઓની એક સાથે અભિષ્ટ સિદ્ધિ થઈ શકે. કેમ કે બંને વસ્તુઓના (નવીનત્વ તથા પુરાણત્વરૂપ) અર્થ વિરુદ્ધ છે. એટલા માટે જેનું ઐશ્વર્ય સામ્યતા—તુલ્યતા અને અતિશયતા= અતિક્રાન્તતાથી મુક્ત=રહિત છે, તે જ ઈશ્વર છે. અને તે ઈશ્વર જ પુરુષવિશેષ= પૂર્ણપુરુષ સર્વવ્યાપક સર્વજ્ઞ આદિ ગુણયુક્ત છે.
ભાવાર્થ –(૪) આ સૂત્રમાં ઈશ્વરના સત્ત્વ-સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે પરમેશ્વર પ્રકૃતિ તથા જીવોથી ભિન્ન છે. તે આ કથનથી સ્પષ્ટ છે કે યોગ-દર્શનમાં સ્પષ્ટરૂપે ઈશ્વર, જીવ તથા પ્રકૃતિ ત્રણેય શાશ્વત સત્તાઓનો સ્વીકાર કર્યો છે. પ્રકૃતિ અચેતન હોવાથી જડ છે. અને ઈશ્વર અને જીવ બંને ચેતન છે. પરંતુ બંનેના સ્વરૂપમાં
૭૬
યોગદર્શન
For Private and Personal Use Only