________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોનું સામે હોવું. જેમ - પકાવવા યોગ્ય વસ્તુના વિકારનું કારણ અગ્નિ છે. (પ) (પ્રત્યયવIR) ધૂમ (ધુમાડા)નું જ્ઞાન, અગ્નિ-જ્ઞાનના યથાર્થ બોધનું કારણ છે. (૬) પ્રતિર.) પ્રાપ્ત કરાવનારું કારણ પ્રાપ્તિ-કારણ છે. જેમ - વિવેકખ્યાતિની પ્રાપ્તિનું કારણ યોગાંગોનું અનુષ્ઠાન કરવું છે. (૭) (વિયોગર) તે જ યોગાંગોનું અનુષ્ઠાન કરવું અશુદ્ધિ = મિથ્યાજ્ઞાનને દૂર કરવાનું કારણ છે. (૮) (મીત્વ ) ભિન્નરૂપ આપનાર પણ કારણ છે. જેમ – સુવfાર = સોની સોનાનાં આભૂષણો- આદિ બનાવીને) બીજું રૂપ બનાવવાવાળો છે (અન્યત્વ કારણનું બીજું દષ્ટાંત આપીએ છીએ.) આ જ પ્રકારે એક સ્ત્રીના વિષયમાં વિભિન્ન જ્ઞાનોમાં વિભિન્ન કારણો છે. સ્ત્રીના મોહમય જ્ઞાનમાં અવિદ્યા કારણ છે, રીજ્ઞાનના દુઃખાત્મક હોવામાં પ કારણ છે, રમી જ્ઞાનના સુખાત્મક રૂપમાં રાગ કારણ છે અને સ્ત્રી જ્ઞાનના મધ્યચ્ચે ઔદાસીન્યરૂપ (ઉદાસીનતારૂપ) જ્ઞાનમાં તત્ત્વજ્ઞાન કારણ છે. (૯) (ધૃતિ શરીર) ઈદ્રિયોને ધારણ કરનારું કારણ શરીર છે. અને તે ઈદ્રિયો શરીરને ધારણ કરવામાં કારણ છે (આનું જ બીજુ દષ્ટાંત આપીએ છીએ). પૃથ્વી આદિ મહાભૂત શરીરોનાં ધૃતિ (ધારણ કરવાનું) કારણ છે. અને તે પરસ્પર બધાં જ શરીરોના ધૃતિકારણ છે. આનું કારણ એ છે કે તિર્યક્ટ્રોનિવાળાં પશુ-પક્ષી આદિ, મનુષ્ય તથા દેવતાઓના શરીર પરસ્પર અર્થવાળાં હોવાથી પરસ્પર ધૃતિકારણ છે.
આ રીતે આ નવ કારણ થાય છે. અને તે નવ કારણો યથાસંભવ બીજા પદાર્થોમાં પણ ઘટિત કરવાં જોઈએ.
પરંતુ યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવું એ તો બે પ્રકારનાં જ કારણત્વને પ્રાપ્ત કરે છે. અર્થાત્ વિવેકખ્યાતિની પ્રાપ્તિનું કારણ અને અવિદ્યારૂપ અશુદ્ધિના વિયોગનું કારણ યોગનાં અંગોનું અનુષ્ઠાન છે. ભાવાર્થ - (યો. ૨/૨૬) સૂત્રમાં યોગશાસના ચતુર્વ્યૂહ (હય, હે હેતુ, હાન અને હાનોપાય)ના ચોથા ભૂહમાં વિવેકખ્યાતિને હાનોપાય બતાવવામાં આવ્યો છે. હવે આ સૂત્રમાં વિવેકખ્યાતિ સુધી પહોંચવાનાં સાધનો અને તેમનાં ફળોનું કથન કરવામાં આવ્યું છે. યોગનાં આઠ અંગો (યમ-નિયમ આદિ) હોય છે, જે આગળ કહેવામાં આવશે, તેમનું અનુષ્ઠાન કરવાથી ચિત્તના દોષ (મળ) ક્ષીણ થવા લાગે છે, અને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ થવા લાગે છે. આ જ્ઞાન-વૃદ્ધિ વિવેકખ્યાતિ સુધી થતી રહે છે. જેમ - કુહાડી દ્વારા લાકડા આદિનું છેદન નિશ્ચિતરૂપે થઈ જાય છે, તે જ રીતે ચિત્તમાં રહેલા મળો અથવા મિથ્યાજ્ઞાનને દૂર કરવામાં યોગાંગો પરમ (શ્રેષ્ઠ) સાધન છે. જોકે કારણ નવ પ્રકારનાં વ્યાસ-ભાયમાં પરિગણિત કર્યા છે, પરંતુ યોગાંગોનું અનુષ્ઠાન બે પ્રકારથી જ કારણ બને છે – (૧) મતિ = વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવામાં અને (૨) વિવો = અવિદ્યા (મિથ્યાજ્ઞાન)રૂપ અશુદ્ધિનો નાશ કરવામાં. સાધન પાદ
૧૮૩
For Private and Personal Use Only