________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯.
૩. પ્રતિદિન ક્રિયાત્મક યોગ પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેમાં વિવેક,
વૈરાગ્ય, અભ્યાસ, ઈશ્વરપ્રણિધાન, મનોનિયંત્રણ, ધ્યાન, સમાધિ તથા સ્વ-સ્વામી સંબંધ (=મમત્વ) ઈત્યાદિ સૂક્ષ્મ વિષયો પર વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવે છે.
યમ-નિયમોનું મન-વચન-કર્મથી સૂક્ષ્મતાથી પાલન કરાવવામાં આવે છે. ૫. દિવસમાં ૬ કલાક મૌન પાળવામાં આવે છે (જેમાં ધ્યાન, સ્વાધ્યાય,
નિદિધ્યાસનનો સમાવેશ થાય છે).
વાર્તાલાપનું માધ્યમ સંસ્કૃત ભાષા છે. ૭. સ્વયંને ઉન્નતિના માર્ગે પ્રશસ્ત કરવા માટે બ્રહ્મચારીઓ દ્વારા યમ-નિયમ
તથા અનુશાસન સંબંધિત ત્રુટિઓનો પ્રાયશ્ચિત રૂપે સ્વયં દંડ લેવામાં આવે છે. દરરોજ રાત્રે આત્મનિરીક્ષણની કક્ષા યોજાય છે. જેમાં દિવસભરનાં દોપો-ત્રુટિઓને બધાની સમક્ષ જણાવી ભવિષ્યમાં સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.
પ્રતિદિન યજ્ઞ, વેદ-પાઠ તથા વેદમંત્રનો સ્વાધ્યાય થાય છે. ૧૦. સપ્તાહમાં એકવાર આસન-પ્રશિક્ષણ તથા ૧૫ દિવસમાં એકવાર
વ્યાખ્યાન-પ્રશિક્ષણ હોય છે. ૧૧. દર્શનોની લેખિત તેમ જ મૌખિક પરીક્ષાઓ લેવામાં આવે છે. ૧૨. પ્રાતઃકાળ ૪ વાગ્યાથી રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી આદર્શ તેમજ વ્યસ્ત ગુરુકુળીય દિનચર્યાનું પાલન કરવામાં આવે છે.
( ઉપલવિઓ ) સને ૧૯૮૬ થી ૧૯૯૯ સુધીના વિગત ૧૩ વર્ષોમાં ભારતભરના ૧૩ પ્રાંતોના સ્નાતક, સ્નાતકોત્તર (Graduate, Post Graduate), વ્યાકરણાચાર્ય, શાસ્ત્રી સ્તરના લગભગ ૩૨ બ્રહ્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો. યોગ, સાંખ્ય, વૈશેષિક, ન્યાય, વેદાન્ત તથા મીમાંસા - આ ૬ દર્શનોનું સંસ્કૃત ભાષ્યો સહિત અધ્યાપન થયું. ૫ દર્શનોની લેખિત તેમજ મૌખિક પરિક્ષાઓ લેવામાં આવી. દર્શનો ઉપરાંત ઈશ, કેન આદિ ૧૦ આર્ષ ઉપનિષદો તથા વેદના ચુનિંદા અધ્યાયોનું અધ્યાપન કરવામાં આવ્યું. આંશિક રૂપે અષ્ટાધ્યાયી વ્યાકરણનું પણ અધ્યાપન
કરવામાં આવ્યું. ૩૯૦
યોગદર્શન
For Private and Personal Use Only