Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 350
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોવાથી જ્ઞાતા અથવા દ્રષ્ટા નથી. તે તો સ્વયં દૃશ્ય જ છે. ૫ ૧૯ નોંધ - (૧) આકાશના દૃષ્ટાંતનો પૂર્વ પક્ષીનો આશય એ છે કે જેમ આકાશ પ્રતિષ્ઠાને માટે કોઈ ક્રિયા નથી કરતું અને ન તો તેનું કોઈ અધિકરણ જ હોય છે, તે જ રીતે ચિત્ત પણ કોઈ પણ બીજાથી ગૃહીત નથી થતું પરંતુ તેનું આગળ ખંડન કરી દીધું છે. (૨) દૃશ્યનું સ્વરૂપ યો. ૨/૧૮-૧૯ સૂત્રોમાં દ્રષ્ટવ્ય છે. (૩) આ આકાશ પણ એક જડ તત્ત્વ છે. તેનો આશ્રય પણ ઈશ્વર છે, તે સ્વયં સ્થિત નથી. હવે – શું ચિત્તથી એક સમયમાં જ વિષય અને ચિત્ત બંનેનું જ્ઞાન થાય છે ? एकसमये चोभयानवधारणम् ।। २० ।। સૂત્રાર્થ - (૪) અને ( સમયે) એક જ સમયમાં (૩મય-અનવધારળન) વિષય-અને ચિત્ત બંનેનું જ્ઞાન નથી થઈ શકતું. ભાપ્ય અનુવાદ – (૫ સમયે) અને એક જ ક્ષણમાં (૩મયાનવધારળમ્) (ચિત્ત દ્વારા) પોતાનું રૂપ તથા બીજાનું રૂપ=વિષયોનાં રૂપનું અવધારળ=નિશ્ચય કરવો સંભવ નથી (એમાં કારણ બતાવે છે) ક્ષણિક વાદિઓના મતમાં જે મવન = ચિત્તની ઉત્પત્તિ છે તે જ એક માત્ર યિા= વ્યાપાર છે (તેના વિના બીજો કોઈ વ્યાપાર નથી, કેમ કે બીજી ક્ષણમાં તેની સ્થિતિ નથી માનવામાં આવી) અને તે જ = ચિત્તનું ક્ષણિક અસ્તિત્ત્વ જ ાર = કર્તૃરૂપ, કરણરૂપ તથા કર્મરૂપ વગેરે છે, એવો ક્ષણિકવાદીઓનો ઍક્યુપામ : સ્વીકૃત સિદ્ધાંત છે. ભાવાર્થ – ચિત્ત ઇંદ્રિયોના સંપર્કથી વિષયને પ્રકાશિત કરે છે, પરંતુ પોતાનું પ્રકાશક સ્વયં નથી. અહીં ક્ષણિકવાદીઓનું એ કથન યુક્તિયુક્ત નથી કે ચિત્ત એક જ સમયમાં વિષયનું તથા પોતાનું જ્ઞાન કરાવે છે, કેમ કે એક સમયમાં બે જ્ઞાન કદાપિ નથી થઈ શકતાં. એટલા માટે ચિત્તથી ભિન્ન, જ્ઞાતાપુરુષતત્ત્વને માનવું જરૂરી છે. ચિત્તને ક્ષણિક માનનારા એ સિદ્ધાંતને ભૂલી જાય છે કે પ્રથમ ક્ષણમાં વસ્તુની ઉત્પત્તિ, બીજી ક્ષણમાં તેની ક્રિયા અને ત્રીજી ક્ષણમાં કોઈ કાર્ય કરવાથી તે વસ્તુ ‘કારક’ નામથી કહેવામાં આવે છે. અને તેઓ એક ક્ષણમાં જ ઉત્પત્તિ, ક્રિયા તથા કારકને માને છે, આ કદાપિ સંભવ નથી. અને જે ચિત્તને સ્વયં ક્ષણિક માની રહ્યા છે, તે - ‘ઉત્પત્તિ, ક્રિયા તથા કારક' - ત્રણેયને એક સાથે (એક ક્ષણમાં) કેવી રીતે કરી શકે છે ? અને પોતાનું તથા વિષયનું જ્ઞાન કેવી રીતે કરાવી શકે છે ? કેમ કે તે ચિત્તની ઉત્પત્તિની ક્ષણમાં બીજો કોઈ વ્યાપાર કરવો સંભવ જ નથી. બીજી ક્ષણે તે ચિત્તનીસત્તાને તેઓ માનતા નથી. એટલા માટે ચિત્તને વિષયનું પ્રકાશક માનીને ‘સ્વાભાસ’ પણ માનવુંયુક્તિવિરુદ્ધ જ નહીં, બલ્કે અસંભવ જ છે. તેનાથી સ્પષ્ટ છે કે દૃશ્યચિત્તનો દ્રષ્ટા, જ્ઞાતા તથા પ્રકાશક તત્ત્વચિત્તથી અલગ જ છે અને તે પુરુષ=ચેતન તત્ત્વ છે. ૫ ૨૦ નોંધ- ન્યાય દર્શનમાં પણ મનનું લક્ષણ આમ કર્યુંછે કે-‘યુગપજ્ઞાતાનુત્પત્તિર્યનસોનિકાન્ ૩૪૪ યોગદર્શન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401