________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કાય) ૫ જ્ઞાનેન્દ્રિયો, ૫ કર્મેન્દ્રિયો તથા ૧૧મુ મન છે. માટે પ્રકૃતિનું વિકારભૂત મન ચેતન કેવી રીતે કહી શકાય? (૫) આજ પ્રકારે યોગદર્શનના (૨/૨૦) સૂત્ર ભાષ્યમાં વ્યાસ-મુનિએ લખ્યું છે કે – पुरुषो बुध्धे : प्रतिसंवेदी...ज्ञाताज्ञातविषयत्वात् परिणामिनी हि बुद्धि : ।...त्रिगुणा बुद्धि : त्रिगुणात्वाद् अचेतनेति।' ' અર્થાત્ - બુદ્ધિ (ચિત્ત) અને પુરુષ =ચેતન જીવાત્મતત્ત્વમાં પરસ્પર નીચે લખેલા ત્રણ ભેદ છે – (ક) બુદ્ધિ જ્ઞાતાજ્ઞાત વિષયવાળી હોવાથી પરિણામવાળી છે, પરંતુ પુરુષ અપરિણામી છે. (પ) બુદ્ધિ પરાર્થ= પોતાનાથી ભિન્ન પુરુષના ભોગ - અપવર્ગને સંપન્ન કરાવવા માટે છે, જયારે પુરપ સ્વાર્થ=પોતાના પ્રયોજનને સિદ્ધ કરવાને માટે છે. (ગ) બુદ્ધિ સત્ત્વ આદિ ત્રણ ગુણોવાળી હોવાથી અચેતન છે, જયારે પુરુષ ગુણોનો ઉપદ્રષ્ટા છે તથા ચેતન છે. (૬) ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો વિકાર છે, અને તેનું કાર્ય ક્ષેત્ર મોક્ષ પ્રાપ્તિ સુધી જ છે. મોક્ષ દશામાં તેની સત્તા નથી રહેતી. આ વિષયમાં (યો. ૨/૨૪) સૂત્ર ભાષ્યમાં મહર્ષિ વ્યાસ લખે છે - સ (વુદ્ધિ) તુ પુરુષરાતિપર્યવસાન તાનિષ્ઠા પ્રાપ્નોતિ, ચરિતધારા નિવૃત્તાના ન્યારામાવીન પુનરાવર્ત અર્થાત્ બુદ્ધિ=ચિત વિવેકખ્યાતિ પ્રાપ્ત થતાં સુધી પોતાના કાર્યને પૂર્ણ કરે છે. અને બંધનનું કારણ અજ્ઞાન નિવૃત્ત થતાં ફરીથી બુદ્ધિની પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ જીવાત્માની સાથે બુદ્ધિનો સંપર્ક મોલમાં નથી રહેતો. એટલા માટે આ જ સૂત્રભાષ્ય પર આગળ લખ્યું છે - વિનિવૃત્તિવમોક્ષ અર્થાત્ ચિત્તનું પુરુષથી પૃથક થવું જ મોક્ષ છે. અને આ જ વાત બીજે પણ કહી છે. "यानि क्लेशबीजानि दग्धशालि बीजकल्पान्यप्रसवसमर्थनि तानि सह मनसा प्रत्यस्तं गच्छन्ति ।”
(યો. ૩/૫૦ વ્યાસ ભાપ્ય) અર્થાત્ વિવેકખ્યાતિ થઈ જતાં યોગીના બધા જ લેશો તેમજ ક્લેશમૂલક વાસનાઓ દગ્ધબીજની જેમ ફલોત્પત્તિમાં અસમર્થ થઈ જાય છે. અને તે મનની સાથે પોતાના કારણમાં લીન થઈ જાય છે. તે વખતે પુરુષ પોતાના સ્વરૂપ ચૈતન્ય માત્રમાં જ રહેતો હોવાથી કેવલ્યપદને પ્રાપ્ત કરનારો કહેવાય છે. સંસારમાં ત્રણ પદાર્થ નિત્ય છે - પ્રકૃતિ, પુરુષ તથા પરમેશ્વર. પરમેશ્વર સર્વવ્યાપક સત્તા હોવાથી જીવોનો તેનાથી પૃથક ભાવ સંભવ જ નથી. પ્રકૃતિજન્ય મન આદિથી પૃથકતા જ કૈવલ્યભાવ કહેવાય છે. આ જ ભાવની અભિવ્યક્તિ (યો. ૪(૨૫) સૂત્ર ભાષ્યમાં આ પ્રકારે કરવામાં આવી છે. -
૩૮૬
યોગદર્શન
For Private and Personal Use Only