Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 389
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવામાં આવ્યું છે, અને આ વધુ સાંભળો - જેમ સંસારિક સુખ શરીરના આધારથી ભોગવાય છે, તેમ પરમેશ્વરના આધારથી મુક્તિના આનંદને જીવાત્મા ભોગવે છે. તે મુક્ત જીવ અનંત વ્યાપક બ્રહ્મમાં સ્વચ્છ ઘૂમતો, શુદ્ધ જ્ઞાનથી બધી સૃષ્ટિને જોતો, અન્ય મુક્તોની સાથે મળતો, સૃષ્ટિ વિદ્યાના ક્રમને જોતો બધાજ લોક લોકાન્તરોમાં અર્થાત્ જેટલા આ લોક દેખાય છે અને જે નથી દેખાતા તે બધામાં ઘૂમે છે. તે બધા પદાર્થોને કે જેતેના જ્ઞાનની આગળ છે, તે બધાને જોવે છે. જેટલું જ્ઞાન અધિક હોય છે, તેને તેટલો જ આનંદ વધારે થાય છે.” (સ. પ્ર. ૯મો સમુ.) નોધ - આગળ આપેલો ઉત્તર આ પ્રકારે છે – (પ્રશ્ર) મુક્ત જીવનું સ્થૂળ શરીર રહે છે કે નહી? (ઉત્તર) નથી રહેતું. (પ્રશ્ન) તો પછી તે સુખ અને આનંદ કેવી રીતે ભોગવી શકે છે? (ઉત્તર) તેના સત્યસંકલ્પાદિસ્વાભાવિક ગુણ સામર્થ્ય બધું રહે છે, ભૌતિક સંગ નથી રહેતો. જેમ - કૃષ્ણા શ્રોત વિત, અર્શયન વ મવતિ, પ્રશ્યન યુવતિ - (શતપથ.) મોક્ષમાં શરીરની ઈદ્રિયોનાં ગોલક જીવાત્માની સાથે રહે છે. પરંતુ મુક્તિમાં પોતાનો સ્વાભાવિક શુદ્ધ ગુણ રહે છે...પોતાની શક્તિથી મુક્તિમાં બધો આનંદ ભોગવી લે છે.” (સ. પ્ર. ૯મો સમુલ્લાસ) મોલમાં જીવાત્માનો પરમાત્મામાં લય નથી થતો - “(પ્રશ્ર) મુક્તિમાં પરમેશ્વરમાં જીવ મળી જાય છે અથવા જુદો રહે છે. (ઉત્તર) જાદો રહે છે. કેમ કે જો મળી જાય તો મુક્તિનું સુખ કોણ ભોગવે અને મુક્તિનાં જેટલાં સાધન છે તે બધાં નિષ્ફળ થઈ જાય. તે મુક્તિ નથી, પરંતુ જીવનો પ્રલય જાણવો જોઈએ... सर्त्य ज्ञानमनन्तं बह्म यो वेद निहितं गुहायां परमे व्योमन्। રોડનું સર્વાન માન સદ ત્ર૯T વિપત્તેિતિiા (તૈતિરી-ઉપ.) જે જીવાત્મા પોતાની બુદ્ધિ અને આત્મામાં રહેલા સત્ય જ્ઞાન અને અનંત આનંદ સ્વરૂપ પરમાત્માને જાણે છે, તે એ વ્યાપકરૂપ બ્રહ્મમાં સિથત રહીને તે વિવિ -અનંત વિદ્યાયુક્ત બ્રહ્મની સાથે બધા કામોને પ્રાપ્ત થાય છે. અર્થાત્ જે જે આનંદની કામના કરે છે, તે તે આનંદને પ્રાપ્ત થાય છે. એ જ મુક્તિ કહેવાય છે.” (સ.પ્ર. ૯મો સમુ.) યોગશાસથી વિરુદ્ધ કાલ્પનિક મુક્તિઓ મિથ્યા (ખોટી) જ છે. - (પ્રશ્ન) જેવી મુક્તિ આપ માનો છો, તેવી, બીજા કોઈ નથી માનતા... (ઉત્તર) ....અને પૌરાણિકોને પૂછવું જોઈએ કે જેથી તમારી ચાર પ્રકારની મુક્તિ છે, તેવી તો કૃમિ, કડા, પતંગિયા, પશુ આદિની પણ સ્વતઃ સિદ્ધ પ્રાપ્ત છે. કેમ કે આ જેટલા લોક છે, તે બધા જ ઈશ્વરના છે, એમાં જ બધા જીવો રહે છે. એટલા માટે સાનોવચમુવા અનાયાસ (વિના પ્રયત્ન જ) પ્રાપ્ત છે. ‘સામીણ ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પરિશિષ્ટ ૩૮૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401