________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
युकताहारविहारस्य युकतचेष्टस्य कर्मसु । યુવા સ્વાવવો યો પતિ તુલા (ગીતા).
અર્થાત્ યથાસમય યોગ્ય ખાન-પાન કરવા, યોગ્ય સામર્થ્ય અનુસાર કાર્ય કરવાં અને સમય પર સુવા તથા જાગવાવાળાનોયોગદુઃખનાશક હોયછે. (યોગમિમાંસામાંથી) લૌકિક સુખ અને મોક્ષ સુખમાં અંતર - (૧) લૌકિક સુખ ક્ષણિક હોય છે અને પરમાત્માથી મળનારૂ સુખ સ્થાયી (અબાધ ગતિથી પ્રાપ્ત થનાર) હોય છે. (૨) લૌકિક સુખમાં દુઃખ મિશ્રિત રહે છે, મોક્ષ સુખમાં નહીં.
૯) લૌકિક સુખથી વ્યક્તિ ઉબકી જાય છે, ઈશ્વરના સુખથી ઉબકી જતી નથી. (૪) લૌકિક સુખમાં વ્યક્તિ રોગી પણ થઈ જાય છે, પરમાત્માના સુખથી નહી. (૫) લૌકિક સુખોના ભોક્તા મન, ઈદ્રિયોના વશમાં આવી જાય છે. પરમાત્માના આનંદને ભોગવનારો જીવનમુક્ત તેમને મન વગેરેને) પોતાના વશમાં કરી લે છે (૬) ઈશ્વર-સાક્ષાત્કાર જ એક એવી અવસ્થા છે, જેમાં મનુષ્ય એવો અનુભવ કરે છે કે જે કંઈ મારે પ્રાપ્ત કરવાનું હતું, તે પ્રાપ્ત કરી લીધુ, હવે... સુખ સાધનોની જરૂરીયાત નથી... ચક્રવર્તી રાજ્યને પ્રાપ્ત કરી લે તો પણ યોગી જેવો અનુભવ નથી કરી શકતો.
(યોગ મિમાંસામાંથી) મોલ-પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવાનો કેમ જરૂરી છે? મહર્ષિ દયાનંદે મુક્ત જીવોને પણ મોક્ષની અવધિ સમાપ્ત થતાં સંસારમાં જન્મ લેવાની માન્યતા સપ્રમાણ સત્યાર્થ પ્રકાશ આદિ ગ્રંથોમાં પ્રતિપાદિત કરી છે. આ વિષયમાં કોઈએ પ્રશ્ન કર્યો છે કે –
(પ્રશ્ર) જો એમ જ હોય તો મુક્તિ પણ જન્મ મરણ સદૃશ છે. એટલા માટે શ્રમ કરવો વ્યર્થ છે. (ઉત્તર) મુક્તિ જન્મ મરણ જેવી નથી. કેમ કે જ્યાં સુધી ૩૬૦૦૦વખત ઉત્પત્તિ અને પ્રલયનો જેટલો સમય થાય છે, તેટલા સમય પયંત જીવોને મુક્તિના આનંદમાં રહેવું, દુઃખ ન હોવું શું નાની વાત છે? જયારે આજે ખાવ છો-કાલે ભૂખ લાગે છે, ફરીથી તેનો ઉપાય શા માટે કરો છો? જયારે ભૂખ, તરસ, તૃષ્ણા, -ધન, રાજ્ય, પ્રતિષ્ઠા, રસી, સંતાન વગેરેને માટે ઉપાય કરવો જરૂરી છે, તો મુક્તિને માટે શા માટે ન કરવો? જેમ મરવાનું અવશ્ય છે, તો પણ જીવનનો ઉપાય કરવામાં આવે છે, તે જ રીતે મુક્તિથી પાછા ફરીને જન્મમાં આવવાનું છે, તો પણ ઉપાય કરવો જરૂરી છે.”
| (સ.પ્ર. ૯મો સમુલાસ) મોક્ષમાં શરીર આદિ સાધનો વિના જીવાત્મા આનંદ કેવી રીતે ભોગવે છે -
(પ્રશ્ન) જેમ શરીર વિના સંસારિક સુખો નથી ભોગવી શકાતાં, તે જ રીતે મુક્તિમાં શરીર વિના આનંદ કેવી રીતે ભોગવી શકાશે? (ઉત્તર) એનું સમાધાન પહેલાં ૩૮૨
યોગદર્શન
For Private and Personal Use Only