Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 334
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગમ્યમુનિની સમાન સમુદ્રને પી શકે છે. આ બંને વાતો પાછળથી પ્રક્ષેપ (ઉમરેલી) છે. કેમ કે (૧) આ વાકય વ્યાસ ભાખનું ન હોઈ ‘તથા વોક્ત” કહીને ઉધૂત કરવામાં આવ્યું છે. પરંતુ આ કયા ગ્રંથનું છે, એ અનુસંધાન કરવા યોગ્ય છે. એવું જણાય છે કે કોઈકે તેને અહીં જોડવાનો પ્રયત્ન પછીથી કર્યો છે. (ર) અને રાક્ષસોને મારીને ભગાડવા તથા દંડકારણ્યને ખાલી કરવું, જો કે ચિત્તબળ વિના ફક્ત શારીરિક બળથી સંભવ નથી. પરંતુ આ વ્યાસજીની શેલી નથી કે તે ઐતિહાસિક પક્ષને રાખીને કોઈ વાત ને કહેતા હોય. (૩) અગત્સ્ય મુનિનું સમુદ્રને પીવો એતો એક પૌરાણિક મિથ્યા ગપ જ છે. સમુદ્રના અથાગ પાણીને કોણ પી શકે છે? માટે એ સ્પષ્ટ છે કે કોઈક પૌરાણિકે એનો પ્રક્ષેપ કર્યો છે. (૪) રામે રાક્ષસોને શસ્ત્ર અસ્ત્રોથી યુદ્ધ કરીને ભગાડ્યા અથવા માર્યા, આ પ્રકારના પ્રસંગોનું અહીં પ્રકરણ જ નથી. પરમાત્માના મોક્ષ આનંદના પ્રસંગમાં આ પ્રકારના વિષયોની વાર્તા કહેવી નિરર્થક જ છે. જે ૧૦ નોંધ - (૧) ભાપ્ય અનુવાદના ત્રીજા ફકરામાં શ્રદ્ધા વગેરે શબ્દથી વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા, વૈરાગ્ય આદિનું ગ્રહણ થાય છે. (૨) એ જ ફકરામાં ટીકાકારોએ પૂર્વ આચાર્યનાં વચનને પંચશિખાચાર્યના માન્યાં છે. (૩) ભાવાર્થના બીજા ફકરામાં આનાથી એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક વાસના ઉત્પન્ન થાય છે, અને ફળનું કારણ બનીને ના થઈ જાય છે. અહીં તેને પ્રવાહથી અનાદિ કહી છે. માટે એક જ વાસના અનાદિ કાળથી ચાલી આવતી હોય એવું સમજવું ન જોઈએ. આ વિષયમાં (૨/૧૨) સૂત્રના ભાવાર્થમાં નોંધ ટીપ્પણી દ્રવ્ય છે. હવે - હેતુ આદિના અભાવથી વાસનાઓનો અભાવ - हेतुफलाश्रयालम्बनै: संगृहीतत्वादेषामभावे तदभाव: ॥११॥ સૂત્રાર્થ - (દેતુપત્તાશ્રયાતસ્વનૈઃ) રેતુ-ધર્મ-અધર્મ વગેરે, ફળ, આશ્રય તથા આલંબન આ ચારેયથી (ગૃહીતવાતુ) વાસનાઓનો સંગ્રહ થવાથી (ાષાન) આ હેતુ વગેરેના (માવે) ન રહેવાની દશામાં (તર્ કમાવા તે વાસનાઓનો અભાવ થઈ જાય છે. ભાષ્ય અનુવાદ - દેતુ) ધર્મથી સુખ અને અધર્મથી દુઃખ થાય છે, સુખથી રાગ અને દુઃખથી પ થાય છે, તથા રાગ-દ્વેષથી પ્રયત્ન થાય છે, તે પ્રયત્ન દ્વારા મન, વાણી અને શરીરથી ક્રિયાશીલ થતો જીવ, બીજા જીવો પર દયા કરે છે અથવા તેમની હિંસા કરે છે. તેનાથી ફરી ધર્મ-અધર્મ, સુખ-દુ:ખ, રાગદ્વેષ આ પ્રકારે ક્રમશઃ પ્રવૃત્ત થનારા છ આરા વાળું સંસાર ચક્ર પ્રવૃત્ત થાય છે અને પ્રતિક્ષણ ઘૂમતા આ સંસાર ચક્રની નેત્રી = આગળ વધારનારી અવિદ્યા છે કે જે બધા જ લેશોનું મૂળ કારણ છે. આ પ્રકારે એ અવિદ્યા બધી જ વાસનાઓનો હેતુ છે....(7) ફળ તો એ છે કે જેને આશ્રય બનાવી, જે કોઈ પણ ધર્મ વગેરેની વર્તમાનતા હોય છે. એ કોઈ અપૂર્વ ઉત્પત્તિ નથી. (આશ્રય) બધી જ વાસનાઓનું આશ્રય મન છે. કે જે સરધાર = સત્ત્વ આદિ ગુણોના વ્યવહારથી યુક્ત ૩૨૮ યોગદર્શન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401