________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ગ) સૂત્રકારે (યો. ૧/૧૭)માં સપ્રજ્ઞાત સમાધિના વિતર્ક, વિચાર, આનંદ અને
અસ્મિતા એમ ચાર ભેદ બતાવ્યા છે. તેમનામાં વિર્તકમાં ધ્યેય વિષય સ્થૂળ અને વિચારમાં સૂક્ષ્મ હોય છે. તેમનાથી ઉન્નતતર સ્થિતિ આનંદ અને અસ્મિતાની છે. આનંદમાં રજોગુણ તથા તમોગુણ ક્ષીણ થવાથી સત્ત્વગુણનું પ્રાધાન્ય (મુખ્યતા રહે છે. પરંતુ આ દશામાં પણ ધ્યેય સૂક્ષ્મ પ્રકૃતિ જ હોય છે અને અમિતામાં એકાત્મિકા સંબિંદુ એક પોતાના આત્માની પ્રતીતિ થાય છે. સમ્પ્રજ્ઞાત સમાધિની આ અંતિમ દશામાં પણ શુદ્ધ આત્મતત્ત્વ ધ્યેય નથી હોતું કેમ કે આ દશામાં પ્રજ્ઞાથી અભિભૂત આત્મા ધ્યાનનો વિષય હોય છે. પરંતુ આત્મસાક્ષાત્કારની ઝલક સાધકને અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. (ઘ) આ સૂત્રના ભાગ્યમાં પુરુપ=પરમાત્માથી ભિન્ન પ્રકૃત્તિની સત્તા માની છે અને પરમાત્માના સ્વરૂપને પણ સ્પષ્ટ કર્યું છે કે તે નિર્વિકાર તથા પ્રકૃતિના કાર્યરૂપ કરવામાં નિમિત્ત કારણ છે. તેનાથી સ્પષ્ટ છે કે પરમાત્મા સૃષ્ટિના કર્તા છે. ૫ ૪પ છે નોંધ - (૧) કાર્યની અપેક્ષા કારણ સૂક્ષ્મ હોય છે. અહીં કાર્ય કારણના ક્રમથી જ સૂક્ષ્મતાનું વર્ણન કર્યું છે. પૃથ્વી આદિ મહાભૂતોનું કારણ સૂક્ષ્મભૂત=પાંચ તન્માત્રાઓ છે. સૂક્ષ્મભૂતોનું કારણ અહંકાર, અહંકારનું કારણ મહત્તત્ત્વ, મહત્તત્ત્વનું કારણ સત્ત્વ, રજસ, તમસરૂપ પ્રકૃતિ છે. એ વ્યવસ્થા ઉપાદાન કારણના વિષયમાં સમજવી જોઈએ. (૨) અનિં1= કાર્ય પોતાના કારણનું બોધક હોવાથી લિંગ છે. પ્રકૃતિનું કોઈ કારણ નથી, માટે તે અલિંગ છે.
ता एव सबीज : समाधिः ॥४६॥ સૂત્રાર્થ - (વ) એ ચારેય સવિતર્ક આદિ સમાપત્તિઓ જ (વીગ :)=“વીને નિઝેન વર્તન તિ નવીન : પ્રકૃતિના આધારવાળી હોવાથી સબીજ સમાધિ સમ્પ્રજ્ઞાત સમાધિઓ છે. ભાપ્ય અનુવાદ - એ ચારેય સમાપત્તિઓ સવિતક, નિર્વિતક, સવિચારા, નિર્વિચારા નામની ચારેય સમાધિઓ જ ઉદર્વતુવીના : = બાહ્યવસ્તુ બીજવાળી= બાહ્ય આલંબનવાળી છે. એટલા માટે સમાધિ પણ સબીજ છે. તેમનામાં ધૂળ વસ્તુમાં સવિતર્ક તથા નિર્વિતર્ક સમાપત્તિ સમાધિ રહે છે. અને સૂક્ષ્મ વસ્તુમાં સવિચાર તથા નિર્વિચાર સમાપત્તિ સમાધિ રહે છે. આ પ્રકારે સબીજ (સમ્પ્રજ્ઞાત) સમાધિ ચાર પ્રકારની કહેવાય છે. ભાવાર્થ - ઉપર સંપ્રજ્ઞાત સમાધિના જે ભેદ ગણાવ્યા છે, તે બધામાં બીજ=કારણ (પ્રકૃતિ-સંયોગ)સાધકની સાથે બનેલો રહે છે. સાધક સાત્ત્વિક ચિત્તવૃત્તિના આશ્રયથી આ સ્તર સુધી પહોંચી શકે છે. માટે બંધનનું કારણ=પ્રકૃતિ સંયોગ બનેલું રહેવાથી સંપ્રજ્ઞાત યોગને “સબીજ' કહે છે. એ ૪૬ .
સમાધિ પાદ
૧ ૧૩
For Private and Personal Use Only