________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનારા જીવનાં પુણ્ય કર્ભાશય નાશ કરી દે છે. એટલા માટે હે જીવો! આ જ જન્મમાં સુતિ = પુણ્યકર્મોને કરવાની ઈચ્છા કરો. વય = કાજોદર્શી ઋષિમુનિ અને વિદ્વાન લોકો તે = તમારા માટે વેન્ત = પુણ્યકર્મોને જણાવે છે. (૨) જે કર્ભાશયની બીજી ગતિ બતાવી છે - પ્રધાન (મુખ્ય) કર્મમાં ગૌણ કર્મનું અંકુરિત થવું, તેના વિષયમાં કહ્યું છે – (યાત વન્ય સંર:) પુણ્ય કર્મોમાં પાપ કર્મોની મિલાવટ ઓછી હોય છે, અને તેનું દુઃખરૂપ ફળ શતઃ પુણ્ય કરનારા વિદ્વાન પુરુષને પ્રત્યવમર્શ : = સહન કરવા યોગ્ય હોય છે. અર્થાત તેના પુણ્ય ફળથી દબાયેલા જેવું હોવાથી ઓછું જણાય છે. અને તે દબાયેલું પાપકર્મ પુણ્ય કરનાર વિદ્વાનને પુણ્યથી પૃથફ કરવામાં સમર્થ નથી થતું. અથવા પુણ્યકર્મ ફળની હાનિ (નાશ) કરવામાં સમર્થ નથી થઈ શકતું. કેમ કે પુણ્ય કરનારા એવું વિચારે છે કે મારાં પુણ્યરૂપી બીજાં કર્મ ઘણાં છે, જેમાં વાપમાd = અંકુરિત થતાં = ફલોન્મુખ થનારાં ઓછાં પાપકર્મ sfu = સુખરૂપ પુણ્યકર્મ ફળમાં ન્યૂનતા અન્ય = ઘણી થોડી માત્રામાં જ કરશે. (૩) કર્ભાશયની જે ત્રીજી ગતિ બતાવી છે – નિયતવિપાકવાળાં (અદજન્મવેદનીય) પ્રધાન (મુખ્ય) કર્મથી ઉપૂત=દબાયેલાં ગૌણ કર્ભાશયનું લાંબાકાળ સુધી પડી રહેવાનું કેવી રીતે થાય છે? (ઉત્તર) - નિયત વિપાકવાળો, અદષ્ટજન્મવેદનીય કર્ભાશયનું જ તમન- એક સાથે અથવા તરત જ મૃત્યુ તેની અભિવ્યક્તિનું કારણ કહ્યું છે, અનિયત વિપાકવાળા, અદષ્ટ જન્મવેદનીય કર્ભાશયની અભિવ્યક્તિ મરણથી નથી થતી. જે અનિયત વિપાકવાળા અદષ્ટ જન્મવેદનીય કર્ભાશય છે તે કયાં તો નાશ થઈ જાય છે અથવા બાવાપVIમન = અંકુરિતભાવને પ્રાપ્ત થઈ જાય છે અથવા બીજરૂપમાં લાંબા વખત સુધી, ત્યાં સુધી પડી રહે છે, જયાં સુધી તત્કાળ પ્રભાવવાળું અથવા અવિરુદ્ધ કર્મ અમિષ્યન = પ્રકટ કરનારું = પ્રકાશક નિમિત્તને ફલોન્મુખ નથી કરતું.
તિવિપવિ ) એ કર્ભાશયનું ફળ દેશ, કાળ અને નિમિત્તના અનિશ્ચિતતાથી આ = કર્મફળની પદ્ધતિ વિચિત્ર = આશ્ચર્યજનક તથા ઘણી જ કઠિનાઈથી સમજવા યોગ્ય છે અને અપવાદ હોવાથી ૩ = સામાન્ય નિયમની નિવૃત્તિ નથી થતી. માટે વિશ: = એક જન્મ આપનારું જ કર્ભાશય હોય છે, એ સામાન્ય નિયમ જ માનવામાં આવ્યો છે. ભાવાર્થ - (યો. ૨/૧૨) સૂત્રમાં કર્ભાશયને લેશમૂલક માન્યું છે. હવે એ શંકા થાય છે કે જયારે યોગીનાં અવિદ્યા આદિ ક્લેશોનો નાશ વિવેકખ્યાતિની ચરમ અવસ્થામાં થઈ જાય છે. ત્યારે એ તો માની શકાય છે કે આગળ કર્ભાશયનો સંચય નહીં થાય. પરંતુ અનાદિકાળથી સંચિત કર્ભાશયની સત્તા તો રહે જ છે. શું તેનું ફળ = જન્મ-મરણરૂપ (સંસારમાં ગમન આગમન) ફળ યોગીને નહીં મળે ? આ બ્રાન્તિનું નિરાકરણ આ સૂત્રમાં તથા વ્યાસ-ભાષ્યમાં કર્યું છે કે સંચિત કર્ભાશય અવિદ્યા આદિ ક્લેશોની સત્તા હોવાથી જ જન્મ, આયુ અને ભોગરૂપ ફળને આપે છે અન્યથા નહીં. વ્યાસ મુનિએ ૧૪૨
યોગદર્શન
For Private and Personal Use Only