________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
સમયસાર નાટક
दरवानुयोग दरवानुजोग दूरि करै,
निगमकौ नाटक परमरसपोष है। सौ परमागम बनारसी बखानै जामैं ,
ग्यानको निदान सुद्ध चारितकी चोष है।। ५१।। શબ્દાર્થ:- નિરજીવ=અજીવ. કરતા=કર્તા. દુવાદસ-દ્વાદશ(બાર). દુવાર=અધિકાર. કોષ=ભંડાર. દરવાનુજોગ દ્રવ્યોનો સંયોગ. નિગમકી આત્માનો.
અર્થ- સમયસારજીના ભંડારમાં જીવ, અજીવ, કર્તાકર્મ, પુણ્યપાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, સર્વવિશુદ્ધિ, સ્યાદાદ અને સાધ્યસાધક-એ બાર અધિકાર છે. આ ઉત્કૃષ્ટ ગ્રંથ દ્રવ્યાનુયોગરૂપ છે, આત્માને પરદ્રવ્યોના સંયોગથી જુદો કરે છે અર્થાત્ મોક્ષમાર્ગમાં લગાડે છે, આ આત્માનું નાટક પરમ શાંતરસને પુષ્ટ કરનાર છે, સમ્યજ્ઞાન અને શુદ્ધચારિત્રનું કારણ છે, એને પંડિત બનારસીદાસજી પધ-રચનામાં વર્ણવે છે. પ૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com