________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
નિર્જરા દ્વાર
સંસારમાં પોતાના આત્મા સિવાય બીજો કોઈ પણ પદાર્થ એવો નથી કે જેના પર તે રાગ કરે અને સંસારમાં કોઇ એવો પદાર્થ નથી જેના ઉપર તે દ્વેષ કરે. તેમની ક્રિયા ફળની ઈચ્છારહિત હોય છે તેનાથી તેમને કર્મબંધ થતો નથી, ક્ષણેક્ષણે અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. તેમને શુભ-અશુભ, ઇષ્ટ-અનિષ્ટ, બન્ને એક સરખા છે અથવા સંસારમાં તેમને કોઈ પદાર્થ ન તો ઇષ્ટ છે કે ન અનિષ્ટ છે. તો પછી રાગ-દ્વેષ કોના ઉપર કરે? કઈ ચીજના સંયોગ-વિયોગમાં લાભ-હાનિ ગણે ? તેથી વિવેકી જીવ લોકોની નજરમાં ચાહે ધનવાન હોય કે નિર્ધન હોય, તેઓ તો આનંદમાં જ રહે છે. જ્યારે તેમણે પદાર્થનું સ્વરૂપ સમજી લીધું અને પોતાના આત્માને નિત્ય અને નિરાબાધ જાણી લીધો તો તેમના ચિત્તમાં સાત પ્રકારનો ભય ઊપજતો નથી અને તેમને અષ્ટાંગ સમ્યગ્દર્શન નિર્મળ હોય છે, જેથી અનંત કર્મોની નિર્જરા થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧૭૧