________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
સમયસાર નાટક અર્થ- જૈનશાસ્ત્રના જ્ઞાતા એક જૈને ઘણા સાવધાન થઈને વિવેકરૂપી તીક્ષ્ણ છીણી પોતાના હૃદયમાં નાખી દીધી, જેણે પ્રવેશ કરતાં જ નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નિજસ્વભાવનું જુદાપણું કરી નાખ્યું. ત્યાં તે જ્ઞાતાએ વચ્ચે પડીને એક અજ્ઞાનમય અને એક જ્ઞાનસુધારસમય એવી બે ધારા દેખી. ત્યારે તે અજ્ઞાનધારા છોડીને જ્ઞાનરૂપ અમૃતસાગરમાં મગ્ન થયો. આટલી બધી ક્રિયા તેણે માત્ર એક સમયમાં જ કરી. ૩.
વળીजैसै छैनी लोहकी, करै एकसौं दोइ।
जड़ चेतनकी भिन्नता, त्यौं सुबुद्धिसौं होई।।४।। અર્થ- જેવી રીતે લોઢાની છીણી કાષ્ઠ આદિ વસ્તુના બે ટુકડા કરી નાખે છે તેવી જ રીતે ચેતન-અચેતનનું પૃથકકરણ ભેદવિજ્ઞાનથી થાય છે. ૪.
સુબુદ્ધિનો વિલાસ. ( સર્વ વર્ણ લઘુ. ચિત્રકાવ્ય ઘનાક્ષરી) धरति धरम फल हरति करम मल,
मन वच तन बल करति समरपन। भखति असन सित चखति रसन रित,
लखति अमित वित करि चित दरपन।। कहति मरम धुर दहति भरम पुर,
गहति परम गुर उर उपसरपन। रहति जगति हित लहति भगति रति,
चहति अगति गति यह मति परपन।।५।। શબ્દાર્થ - ભખતિ = ખાય છે. અસન = ભોજન. સિત = ઉજ્વળ. અમિત = અપ્રમાણ. દહતિ = બાળી છે. પુર = નગર, ઉપસરપન = સ્થિર. અગતિ ગતિ = મોક્ષ
અર્થ- સુબુદ્ધિ ધર્મરૂપ ફળ ધારણ કરે છે, કર્મમળ હરે છે, મન, વચન, કાય ત્રણે બળોને મોક્ષમાર્ગમાં લગાવે છે, જીભથી સ્વાદ લીધા વિના ઉજ્વળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com