________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૬૦
સમયસાર નાટક
પક્ષી પોતાના પગથી લાકડી ખૂબ મજબૂત પકડે છે અથવા જેવી રીતે ઘો જમીન અથવા દીવાલ પકડીને ચોંટી રહે છે, તેવી જ રીતે તે પોતાની કુટેવો છોડતો નથી. તેમાં જ અડગ રહે છે. મોહની લહેરોથી તેના ભ્રમનો છેડો મળતો નથી અર્થાત્ તેનું મિથ્યાત્વ અનંત હોય છે, તે ચાર ગતિમાં ભટકતો થકો કરોળિયાની જેમ જાળ વિસ્તારે છે. આવી રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં લ્હેરાય છે અને મમતાની સાંકળોથી જકડાયેલી વધી રહી છે. ૩૮.
દુર્બુદ્ધિની પરિણતિ ( સવૈયા એકત્રીસા )
વાત સુનિ વહિ પઢે વાતદ્દીસૌ માહિ હૈ, बातसौं नरम होइ बातहीसौं अकरी । निंदा करै साधुकी प्रसंसा करै हिंसककी,
साता मार्नै प्रभुता असाता मार्नै फकरी ।। मोख न सुहाइ दोष देखै तहां पैठि जाइ,
कालसौं डराइ जैसैं नाहरसौं बकरी । ऐसी दुरबद्धि भूली झूठकै झरोखे झूली,
फूली फिरै ममता जंजीरनिसौं जकरी ।। ३९ ।। શબ્દાર્થ:- ચોંકિ ઉઠે ઉગ્ર બની જાય. ભોંકિ ઉઠે કૂતરાની જેમ ભસવા લાગે. અકરી અકડાઈ જાય. પ્રભુતા મોટાઈ. ફકરી (ફકીરી ) ગરીબી. કાલ મૃત્યુ. નાહર વાઘ, સિંહ.
=
=
=
-
=
અર્થ:- અજ્ઞાની જીવ હિતાહિતનો વિચાર કરતો નથી, વાત સાંભળતાં જ તપી જાય છે, વાત જ સાંભળીને કૂતરાની જેમ ભસવા માંડે છે, મનને રુચે તેવી વાત સાંભળીને નરમ થઈ જાય છે અને અણગમતી વાત હોય તો અક્કડ બની જાય છે. મોક્ષમાર્ગી સાધુઓની નિંદા કરે છે, હિંસક અધર્મીઓની પ્રશંસા કરે છે, શાતાના ઉદયમાં પોતાને મહાન અને અશાતાના ઉદયમાં તુચ્છ ગણે છે.
૧. ઘો એક પ્રકા૨નું પ્રાણી છે. ચોર તેને પાસે રાખે છે, જ્યારે તેમને ઊંચે મકાનોમાં ઉ૫૨ ચડવું હોય ત્યારે તેઓ ઘોની કેડે દોરી બાંધી તેને ઉપર ફેંકે છે ત્યારે તે ઉપરની જમીન અથવા ભીંતને ખૂબ મજબૂત પકડી લે છે અને ચોર લટકતી દોરી પકડીને ઉપર ચઢી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com