Book Title: Natak Samaysara
Author(s): Banarasidas
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 423
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૯૬ સમયસાર નાટક કરે છે અર્થાત્ જીતે છે. (૧) નગ્ન દિગંબર રહેવાથી લજ્જા અને સંકોચનિત દુઃખ સહન કરે છે, એ નગ્નપરિષહજય છે, (૨) કર્ણ આદિ ઇન્દ્રિયોના વિષયોનો અનુરાગ ન કરવો તે અતિપરિષહજય છે. (૩) સ્ત્રીઓના હાવભાવમાં મોહિત ન થવું, તે સ્ત્રીપરિષહજય છે. (૪) માન- અપમાનની પરવા કરતા નથી એ સત્કા૨પુરસ્કારપરિષહજયછે. (૫) ભયનું નિમિત્ત મળવા છતાં પણ આસન ધ્યાનથી દૂર થતા નથી તે નિષધાપરિષહજય છે. (૬) મૂર્ખાઓના કટુ વચન સહન કરવા તે આક્રોશપરિષહજય છે. (૭) પ્રાણ જાય તોપણ આહારાદિને માટે દીનતારૂપ પ્રવૃત્તિ ન કરવી, એ યાચનાપરિષજય છે. આ સાત પરિષહ ચારિત્રમોહના ઉદયથી થાય છે. ૮૬. જ્ઞાનાવ૨ણીયજનિત બે પરિષહ (દોહરા ) अलप ग्यान लघुता लखै, मति उतकरष विलोइ । ज्ञानावरन उदोत मुनि, सहै परीसह दोइ ।। ८७ ।। અર્થ:- જ્ઞાનાવરણીયનિત બે પરિષહ છે. અલ્પજ્ઞાન હોવાથી લોકો નાના ગણે છે, એનાથી જે દુ:ખ થાય છે તેને સાધુ સહન કરે છે, એ અજ્ઞાનપરિષહજય છે. જ્ઞાનની વિશાળતા હોવા છતાં પણ ગર્વ કરતા નથી, એ પ્રજ્ઞાપરિષહજય છે. આવા આ બે પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જૈન સાધુ સહન કરે છે. ૮૭. દર્શનમોહનીયજનિત એક અને અંત૨ાયજનિત એક પરિષહ (દોહરા ) सहै अदरसन दुरदसा, दरसन मोह उदोत । रोकै उमग अलाभकी, अंतरायके होत ॥ ८८ ॥ અર્થ:- દર્શનમોહનીયના ઉદયથી સમ્યગ્દર્શનમાં કદાચ દોષ ઉત્પન્ન થાય તો તેઓ સાવધાન રહે છે-ચલાયમાન થતા નથી, એ દર્શનપરિષહજય છે. અંતરાય કર્મના ઉદયથી વાંછિત પદાર્થની પ્રાપ્તિ ન થાય, તો જૈનમુનિ ખેદખિન્ન થતા નથી, એ અલાભપરિષહજય છે.૮૮. બાવીસ પરિષહોનું વર્ણન (સવૈયા એકત્રીસા) एकादस वेदनीकी, चारितमोहकी सात, ग्यानावरनीकी दोइ, एक अंतरायकी । Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471