________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૨
સમયસાર નાટક અર્થ:- ક્ષપકશ્રેણીમાં આઠમાં, નવમા, દસમા અને બારમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત તથા જઘન્ય પણ અંતર્મુહૂર્ત છે. ૧૦૪.
તેરમા ગુણસ્થાનનું વર્ણન (દોહરા) छीनमोह पूरन भयौ, करि चूरन चित-चाल।
अब सजोगगुनथानकी, वरनौं दसा रसाल।। १०५ ।। અર્થ - ચિત્તની વૃત્તિને ચૂર્ણ કરનાર ક્ષીણમોહ ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું, હવે પરમાનંદમય સયોગગુણસ્થાનની અવસ્થાનું વર્ણન કરું છું. ૧૦૫.
તેરમા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) जाकी दुखदाता-घाती चौकरी विनसि गई,
चौकरी अधाती जरी जेवरी समान है। प्रगट भयौ अनंतदंसन अनंतग्यान,
बीरजअनंत सुख सत्ता समाधान है।। जामै आउ नाम गोत वेदनी प्रकृति अस्सी,
इक्यासी चौरासी वा पचासी परवांन है। सो है जिन केवली जगतवासी भगवान,
ताकी जो अवस्था सो सजोगीगुनथान है।।१०६ ।। શબ્દાર્થ:- ચૌકરી = ચાર. વિનસિ ગઈ = નષ્ટ થઈ ગઈ. અનંતદંસન = અનંત દર્શન. સમાધાન = સમ્યકત્વ. જગતવાસી = સંસારી, શરીર સહિત.
અર્થ- જે મુનિને દુઃખદાયક ઘાતીયા ચતુષ્ક અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય નષ્ટ થઈ ગયા છે અને અઘાતી ચતુષ્ક બળી ગયેલી સીંદરીની જેમ શક્તિહીન થયા છે, જેને અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ સત્તા અને પરમાવગાઢ સમ્યકત્વ પ્રગટ થયા છે, જેમને આયુ, નામ, ગોત્ર અને વેદનીયકર્મોની માત્ર એસી, એકયાસી, ચોર્યાસી અથવા પંચાસી પ્રકૃતિઓની સત્તા રહી છે, તે કેવળજ્ઞાની પ્રભુ સંસારમાં સુશોભિત થાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com