________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
અજ્ઞાનીઓને સત્ય માર્ગનો ઉપદેશ (દોહરા) इहिविधि जो विपरीत पख, गहै सद्दहै कोइ।
सो नर राग विरोधसौं, कबहूं भिन्न न होइ।।६४।। * सुगुरु कहै जगमै रहै, पुग्गल संग सदीव।
सहज सुद्ध परिनमनिकौ, औसर लहै न जीव।।६५।। तातै चिदभावनि विषै, समरथ चेतन राउ।
राग विरोध मिथ्यातमै , समकितमैं सिव भाउ।। ६६ ।। શબ્દાર્થ - વિપરીત ૫ખ = ઉલટી હઠ. પરિણામ = ભાવ. ઔસર = તક. ચિભાવનિ વિર્ષ = ચૈતન્યભાવોમાં. અશુદ્ધદશામાં રાગ-દ્વેષ જ્ઞાનાવરણીય આદિ અને શુદ્ધ દશામાં પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ આદિ. સમરથ (સમર્થ) = બળવાન. ચેતન રાઉ = ચૈતન્ય રાજા. સિવ ભાઉ = મોક્ષના ભાવ-પૂર્ણજ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, સમ્યત્વ, સિદ્ધત્વ આદિ.
અર્થ - શ્રી ગુરુ કહે છે કે જે કોઈ આ રીતે ઉલટી હઠ પકડીને શ્રદ્ધાન કરે છે તેઓ કદી પણ રાગ-દ્વેષ-મોહથી છૂટી શકતા નથી. ૬૪. અને જો જગતમાં જીવોને પુગલ સાથે હંમેશાં જ સંબંધ રહે, તો તેને શુદ્ધ ભાવોની પ્રાપ્તિનો કોઈ પણ અવસર નથી–અર્થાત્ તે શુદ્ધ થઈ જ નથી શકતો. ૬૫. તેથી ચૈતન્યભાવ ઉપજાવવામાં ચૈતન્યરાજા જ સમર્થ છે, મિથ્યાત્વની દશામાં રાગ-દ્વેષભાવ ઉપજે છે અને સમ્યકત્વદશામાં શિવભાવ અર્થાત્ જ્ઞાન, દર્શન, સુખ આદિ ઊપજે છે. ૬૬.
જ્ઞાનનું માપભ્ય (દોહરા) ज्यौं दीपक रजनी समै, चहुं दिसि करै उदोत। प्रगटै घटपटरूपमैं, घटपटरूप न होत।।६७।।
* रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते।
उत्तरन्ति न हि मोहवाहिनीं शुद्धबोधविधुरान्धबुद्धयः ।। २८।। पूर्णेकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव। तद्वस्तुस्थितिबोधबन्धधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com