________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
સમયસાર નાટક ચૈતન્યગુણ માનતા નથી, તેથી તેમને જૈન મતવાદીઓનું કહેવું છે કે એ ચેતનાનો અભાવ માનવાથી ત્રણ દોષ ઉત્પન્ન થાય છે. પ્રથમ તો લક્ષણનો નાશ થાય છે, બીજાં લક્ષણનો નાશ થવાથી સત્તાનો નાશ થાય છે, ત્રીજું સત્તાનો નાશ થવાથી મૂળ વસ્તુનો જ નાશ થાય છે. તેથી જીવદ્રવ્યનું સ્વરૂપ જાણવા માટે ચૈતન્યનું જ અવલંબન છે. ૧૦.
(દોહરા) चेतन लक्षन आतमा, आतम सत्ता मांहि।
સત્તા પરિમિત વસ્તુ હૈ, ભેદ્ર તિÉÅ નાંદિયા ૨૨ાા અર્થ:- આત્માનું લક્ષણ ચેતના છે અને આત્મા સત્તામાં છે, કારણ કે સત્તાધર્મ વિના આત્મ-પદાર્થ સિદ્ધ થતો નથી, અને પોતાની સત્તા પ્રમાણ વસ્તુ છે; દ્રવ્યઅપેક્ષાએ ત્રણેમાં ભેદ નથી એક જ છે. ૧૧.
આત્મા નિત્ય છે. (સવૈયા તેવીસા) ज्यौं कलधौत सुनारकी संगति,
भूषन नाम कहै सब कोई। कंचनता न मिटी तिहि हेतु,
वहै फिरि औटिके कंचन होई।। त्यौं यह जीव अजीव संजोग,
भयौ बहुरूप भयौ नहि दोई। चेतनता न गई कबहूं,
तिहि कारन ब्रह्म कहावत सोई।।१२।। શબ્દાર્થ - કલર્ધાત = સોનું. ભૂષન = ઘરેણું. ઑટત = ગાળવાથી. બ્રહ્મ = નિત્ય આત્મા.
અર્થ:- જેવી રીતે સોની દ્વારા ઘડવામાં આવતાં સોનું ઘરેણાંના રૂપમાં થઈ જાય છે, પણ ગાળવાથી પાછું સોનું જ કહેવાય છે, તેવી જ રીતે આ જીવ અજીવરૂપ કર્મના નિમિત્તે અનેક વેષ ધારણ કરે છે, પણ અન્યરૂપ થઈ જતો નથી કારણ કે ચૈતન્યનો ગુણ કયાંય ચાલ્યો જતો નથી, એ જ કારણે જીવને સર્વ અવસ્થાઓમાં બ્રહ્મ કહે છે. ૧૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com