________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
સમયસાર નાટક કર્મબંધનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. ( સવૈયા એકત્રીસા) कर्मजाल-वर्गनासौं जगमैं न बंधै जीव,
बंधै न कदापि मन-वच-काय-जोगसौं। चेतन अचेतनकी हिंसासौं न बंधै जीव ,
बंधै न अलख पंच-विषै-विष-रोगसौं।। कर्मसौं अबंध सिद्ध जोगसौं अबंध जिन,
हिंसासौं अबंध साधु ग्याता विषै-भोगसौं। इत्यादिक वस्तुके मिलापसौं न बंधै जीव ,
बंधै एक रागादि असुद्ध उपयोगसौं।।४।। શબ્દાર્થ - વર્ગનાર કર્મપરમાણુઓના સમૂહને વર્ગણા કહે છે. કદાપિ= કદી પણ. અલખ= આત્મા. પંચ વિર્ષ=પાંચ ઇન્દ્રિયોના વિષય-ભોગ. અસુદ્ધ ઉપયોગ-જીવની શુભાશુભ પરિણતિ.
અર્થ:- જીવને બંધનું કારણ ન તો કાર્માણ વર્ગણા છે, ન મન-વચન-કાયાના યોગ છે, ન ચેતનઅચેતનની હિંસા છે અને ન ઈન્દ્રિયોના વિષયો છે, કેવળ રાગ આદિ અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે. કેમકે કાર્માણ વર્ગણા રહેવા છતાં પણ સિદ્ધ ભગવાન અબંધ રહે છે, યોગ* હોવા છતાં પણ અરહંત ભગવાન અબંધ રહે છે, હિંસા થઈ જવા છતાં પણ મુનિ મહારાજ અબંધ રહે છે અને
* મનોયોગ બે–સત્ય મનોયોગ, અનુભય મનોયોગ. વચનયોગ બે–સત્ય વચનયોગ, અનુભય વચનયોગ. કાયયોગ ત્રણ-ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ અને કાર્માણ કાયયોગ
એવા સાત યોગ સયોગી જિનરાજને હોય છે. * ત્રસ સ્થાવર હિંસાના ત્યાગી મહાવ્રતી મુનિ ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરે છે અને અકસ્માત કોઈ
જીવ તેમના પગ નીચે આવી પડે તથા મરી જાય તો પ્રમત્તયોગ ન હોવાથી તેમને હિંસાનો બંધ થતો નથી. न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृतः। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com