________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૦૮
સમયસાર નાટક
66
મોક્ષની ઉત્પત્તિ કરે છે અને વિભાવ પરિણિત બંધને જ ઉત્પન્ન કરે છે. એનો ખુલાસો આ રીતે છે કે જાવત શુદ્ધોપયોગ પાવત નહીં મનોગ, તાવત હી ગ્રહણ જોગ કહી પુન્ન કરની ” ની રીતે સમ્યગ્દષ્ટિ શ્રાવક અને મુનિ, પાપ પરિણતિથી બચીને શુભોપયોગનું અવલંબન લે છે અને શુભ પરિણતિ તેને આસ્રવ જ ઉત્પન્ન કરે છે. તેને જે ગુણશ્રેણીરૂપ નિર્જરા થાય તે શુદ્ધોપયોગના બળથી થાય છે, શુભોપયોગ તો આસ્રવ જ કરે છે. ભાવ એ છે કે જેટલા અંશે રાગ છે તેટલા અંશે બંધ છે અને જેટલા અંશે જ્ઞાન તથા નિશ્ચયચારિત્ર છે તેટલા અંશે બંધ નથી, તેથી પુણ્યને પણ પાપ સમાન હેય જાણીને શુદ્ધોપયોગનું શરણ લેવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com