________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
સમયસાર નાટક
શબ્દાર્થ:- સંકલેશ=તીવ્ર કષાય. વિશુદ્ધ મંદ કષાય. અસાતા દુ:ખ કટુક કડવો. સાતા=સુખ. પરતચ્છિ ( પ્રત્યક્ષ )=સાક્ષાત્.
અર્થ:- સંકલેશ ભાવોથી પાપ અને નિર્મળ ભાવોથી પુણ્યબંધ થાય છે, આ રીતે બન્નેના બંધમાં કારણભેદ છે. પાપનો ઉદય અશાતા છે, જેનો સ્વાદ કડવો છે અને પુણ્યનો ઉદય શાતા છે, જેનો સ્વાદ મધુર છે, આ રીતે બન્નેના સ્વાદમાં અંતર છે, પાપનો સ્વભાવ તીવ્રકષાય અને પુણ્યનો સ્વભાવ મંદકષાય છે, આ રીતે બન્નેના સ્વભાવમાં ભેદ છે. પાપથી કુગતિ અને પુણ્યથી સુગતિ થાય છે, આ રીતે બન્નેના ફળભેદ પ્રત્યક્ષ દેખાય છે. ૫.
શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા) पाप बंध पुन्न बंध दुहूंमै मुकति नाहि,
कटुक मधुर स्वाद पुग्गलकौ पेखिए। संकलेस विसुद्ध सहज दोऊ कर्मचाल,
___ कुगति सुगति जगजालमै विसेखिए।। कारनादि भेद तोहि सूझत मिथ्यात मांहि,
ऐसौ द्वैत भाव ग्यान दृष्टिमैं न लेखिए। दोऊ महा अंधकूप दोऊ कर्मबंधरूप,
दुहुंकौ विनास मोख मारगमै देखिए।।६।। શબ્દાર્થ:- મુકતિ (મુક્તિ)=મોક્ષ. મધુર=મિષ્ટ. તોહિતને. સૂઝત દેખાય છે. દ્વત=બેપણું. દૂહૂકી=બન્નેનો.
અર્થ:- પાપબંધ અને પુણ્યબંધ-બને મોક્ષમાર્ગમાં બાધક છે, તેથી બન્નેય સમાન છે, એના કડવા અને મીઠા સ્વાદ પુદગલના છે તેથી બન્નેના રસ પણ સમાન છે, સંકલેશ અને વિશુદ્ધભાવ બન્ને વિભાવ છે તેથી બન્નેના ભાવ પણ સમાન છે, કુગતિ અને સુગતિ અને સંસારમય છે, તેથી બન્નેનું ફળ પણ સમાન છે, બન્નેનાં કારણ, રસ, સ્વભાવ અને ફળમાં તને અજ્ઞાનથી ભેદ દેખાય છે પરંતુ જ્ઞાનદષ્ટિથી બન્નેમાં કાંઈ અંતર નથી –બન્ને આત્મસ્વરૂપને ભૂલાવનાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com