________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
૮૧
શબ્દાર્થ- બિછુપૈ=જુદા થાય. સંસય( સંશય)=શંકા, સંદેહ.
અર્થ:- પુદ્ગલ કર્મને જીવ નથી કરતો, એવું આપે કહ્યું તો મારા સમજવામાં આવતું નથી. કર્મનો કર્તા કોણ છે અને તેની કેવી ક્રિયા છે? આ અચેતન કર્મ પોતાની મેળે જીવ સાથે કેવી રીતે બંધાય છે અને છૂટે છે? મને આ શંકા છે. શિષ્યની આ શંકાનો નિર્ણય કરવા માટે શ્રીગુરુ યથાર્થ વાત કહે છે. ૧૯.
ઉપર કરવામાં આવેલી શંકાનું સમાધાન (દોહરા) पुदगल परिनामी दरव, सदा परिनवै सोइ।
यातें पुदगल करमकौ, पुदगल करता होइ।।२०।। શબ્દાર્થ - પરિનામી (પરિણામી)=પોતાનો સ્વભાવ છોડ્યા વિના એક પર્યાયથી બીજી પર્યાયરૂપે થનાર. સોઈ =તે. યાતૈ=એથી. હોઈ =થાય છે.
અર્થ - પુદગલ દ્રવ્ય પરિણામી છે, તે સદૈવ પરિણમન કર્યા કરે છે, તેથી પુદ્ગલ કર્મનો પુદ્ગલ જ કર્તા છે. ૨૦.
जीव चेतना संजुगत, सदा पूरण सब ठौर।
तातें चेतन भावकौ, करता जीव न और।।२१।। શબ્દાર્થ- સંજુગત=સંયુક્ત, સહિત. ઠૌર સ્થાન.
અર્થ - જીવ ચેતના સહિત છે, સર્વ સ્થાનમાં સદા પૂર્ણ છે, એ કારણે ચેતનભાવોનો કર્તા જીવ જ છે, બીજું કોઈ નથી. ૨૧.
जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।।१८।। स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता।। १९ ।। स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवत्स कर्ता।।२०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com