________________
(૩૩)
.
આ વિભાગના અભ્યાસક્રમમાં પાઠય પુસ્તક તરીકે (૧) શ્રી ભગવતી સાર (૨) ઉત્તરાધ્યન સૂત્ર (૩) કલ્પસૂત્ર એમ ત્રણ ગ્રંથે હતા. ભગવતી સ૨. એ તો ભગવતી સૂત્રને માત્ર છાયાનુવાદ હતો, એટલે એ બી વડે આ ગ્રંથની પ્રસ્તાવના લખવી, એ તે સૂંઠના ગાંઠીયે ગાંધી થઈ જવા જેવી બાલિશતા છે, હકીકત એ છે કે, આઠ વર્ષની વયે જીવનમાં પ્રથમ વાર હું શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય સ્વ.આચાર્ય વિજયધર્મસૂરીધરજી, જેમણે વિશ્વમાં જ્ઞાનની ગંગા વહાવી અનેક શ્રેષ્ઠ કેટિના સાધુ ભગવંતો અને પંડિત રતને જૈન સમાજને આપ્યા, તેમના તથા એ સંઘાડાના સાધુઓના પરિચયમાં આવ્યું. ઈ. સ. ૧૯૧૬માં તેઓ સૌ અમરેલીમાં ચોમાસું હતાં તે પછી તેમના શિષ્ય રને આ. ઈન્દ્રસૂરીજી તથા શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાથે મારે સતત સંપર્ક રહ્યો. પચી. સેક વર્ષ પહેલાં પૂ. વિદ્યાવિજયજી મહારાજને વાંદવા શિવપુરી ગયેલે, ત્યાંયે તેમના પ્રશાંત શિષ્ય પૂ. પં. શ્રી પૂર્ણાનન્દ વિજયજી મહારાજ સાહેબ સાથે પરિચય થયે. તેઓ એ વખતે ન્યાય, વ્યાકરણ અને કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. તે પછી દિનપ્રતિદિન અમારે સંબંધ વધતો ગયો અને સંપર્ક ચાલુ જ રહ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેમભાવે તેમણે મને આજ્ઞા કરી અને તેનું ઉલ્લંઘન ન કરી શકવાના કારણે, પ્રસ્તાવના લખવાની આ અધિકાર ચેષ્ટા મારાથી થઈ ગઈ છે. સંભવ છે કે આ પ્રસ્તાવના લખ. વામાં શાસ્ત્રવિરુદ્ધ કે અન્ય કેઈ દોષો મારાથી થઈ જવા પામ્યા હોય, તો તે માટે વાચકે મેટું દિલ રાખી મને ક્ષમા કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું.
–મનસુખલાલ તારાચંદ મહેતા