________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
અમૃતસાગર,
(તરંગ
નn
-
-
-
-
ભાગે લઈ ખાંડી બે ટાંક ભારને કવાથ કરી સવાર સાંઝ-બે વખત પીએ તે સન્નિપાત રોગ, સર્વ વસ્તુનું જ્ઞાન નાશ પામ્યું હોય, પરસે બહુ આવતા હોય તેને તથા ચિત્તભ્રમ, પેટશળ, આફરો અને વાયુ તથા કફના રોગને દૂર કરે છે.” અથવા આકડાનાં મૂળ, કરીઆ, દેવદાર, રાસ્ના, નગોડ, વજ, અરણી, સરગવો, લીંડીપીપર, પીપરામૂળ, ચવ્યક, ચિત્રામૂળ, સુંઠ, અતિવિષ અને જળભાંગરો એ સઘળાં આપને આખાંપામાં ખાંડી કવાથ કરી બે વખત પીએ તે, સન્નિપાત, ધનુર્ધાયુ, જડબાં રહી ગયાં હોય તે વાયુ માટે, શિવાંગ–ચિત્તભ્રમ, સુવારોગ, શ્વાસ, ઉધરસ અને વાયુના રોગો દૂર થાય છે. લિંબાજી
સન્નિપાતમાં રોગીની જીભ જડ થઈ ગઈ હોય તે, બીજોરાનું કેસર, સિંધાલૂણ અને કાળામરી એકત્રકરી ઝીણું વાટી જીભ ઉપર લેપ કરે તે જીભની જડતા મટે છે.” જે સન્નિપા તમાં જ્ઞાન નષ્ટ થઈ ગયું હોય તે ઉપર વજ, જેઠીમધનો શિરે, સિંધાલૂણ, કાળાં મરી અને લીંડીપીપર એ સર્વ બરાબર લઈ ઝીણો વાટી ઉના પાણી સંગાથે નાસ દે તે જ્ઞાન પ્રાપ્ત થાય. વિદ્યાવિદ. અથવા શુદ્ધ પારો ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક પ, સુંઠ, મરી અને પીપર એ સર્વ ભળી ટાંક ૧૦ પ્રથમ પારા ગંધની કાજલ કરી તેમાં ધંતૂરાના ડોડવાના રસની ૩ ભાવના દઈ ૧ દિવસ સુધી ખલકરી ત્રિકટુ મેળવી ઝીણું વાટી તે રસનો નાસ દે તો સનિપાત મટે છે. આ ઉન્મત્ત રસ કહેવાય છે. અથવા શુદ્ધ કરેલા નેપાળી ટાંક ૧૦, કાળાં મરી ટાંક ૧ અને પીપરીમૂળ ટાંક ૧ એ ત્રણને જંબીરી (એક જાતનું ખાટું લીંબુ થાય છે તે) ના રસમાં ૭ દિવસ ખરલ કરી પછી તેનું આંખમાં અંજન કરેતે સન્નિપાત નાશ થાય છે. અથવા શુદ્ધ કરેલે પારે, શુદ્ધ કરેલ ગંધક, કાળાં મરી અને પીપર એ સર્વ સમા ન લઈ તેથી ત્રણ ગણી શુદ્ધ કરેલા નેપાળી લેવા. પારાગંધકને ભેગાં ઘુંટી કાજળ કરી તેમાં મરી, પીપર તથા નેપાળા મેળવી–ઘંટી જંબીડીના રસમાં ૮ દિવસ ખરલ કરી પછી તેનું આંખમાં આંજન કરે તે સન્નિપાત અને તેના ઉપદ્રવોનો નાશ થાય છે. આ ભેરવાંજન કહેવાય છે. વૈદ્યરહસ્ય. અથવા સરસડીયાનાં બીજ, લીંડીપીપર, કાળામરી, સિંધાલૂણ, લસણ, મણશીલ અને ઘેડાવજ એ સઘળાં સમાન લઈ ઝીણાં વાટી ગાયના મૂત્રમાં ૧ દિવસ સુધી ઘુંટી તેનું અંજન કરેતે સન્નિપાત નાશ પામે. ભાવપ્રકાશ. અથવા શુદ્ધ પારે ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક ૫, શુદ્ધ વછનાગ ટાંક ૫, શુદ્ધ ટંકણખાર ટાંક ૫, અને કાળામરી ટોક ૫ લઈ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધે મેળવી ધંતૂરાના બીજને રસમાં પહેર ખરલ કરી સુકવી બે રતીભાર સેવન કરે ભયંકર ત્રિપાત દૂર થાય છે, આ ઉપર દહીં અને ભાત ખાવાં. આ પંચકરસ કહેવાય છે. વૈદ્યવિનોદ. અથવા શુદ્ધ પારો ટાંક ૪, શુદ્ધ મંધક ટાંક ૪, શુદ્ધ વછનાગ ટાંક ૪, જાયફળ ટાંક ૨ અને લીંડીપીપર ટાંક ૭, પ્રથમ પારા ગંધકની કાજળ કરી બાકીની ઔષધીઓ વાડી તેમાં નાખી (આદાના રસમાં એક દિવસ ઘુંટી ૧ રતી પ્રમાણે ગોળીઓ વાળી અથવા એમનું એમ રાખી છે તેમાંથી એક રતીભાર આપવાથી સન્નિપાત વર, ટાઢીઓ તાવ, કૅલેરા, વાઇ, વિષમજવર, જુનો તાવ, મંદાગ્નિ અને માથાના દારૂણ રોગ દૂર થાય છે. આ સ્વછંદ ભૈરવરસ કહેવાય છે. વિદ્યારહસ્ય.
ભયંકર સન્નિપાતના ઉપાય. શુદ્ધ પારે, શુદ્ધ વછનાગ, કાળામરી, મોરથુથું, અને નવસાદર એ સર્વને સમાન ભાગે લઈ ઝીણા વાટી ધંતૂરાના અને લસણના રસમાં મેળવી રોટલી બનાવી રોગીની હ
For Private And Personal Use Only