________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆર)
ઉદાવર્ત પ્રકરણ,
(૧૭)
માં વેદના, દોરીમાં સર્ષની ભ્રાંતિ વગેરે મનના વિશ્વમે. સાંભળવામાં ફેરફાર અને બીજા પણ વાયુના કોપથી બહુ બહુ વિકારે થાય છે.
ઉદાવર્તનાં સાધ્યાસાધ્ય લક્ષણ. તરશથી તથા ઉલટીથી ઉદાવ રેગી પીડાતા હોય, ક્ષીણ થયો હોય, શળાથી દુઃખી, થતે હેય અને ઉલટીમાં મળ પડતું હોય તે તે ઉદાવર્ત રોગી મરી જાય છે.
અનાહ–આફરાના સામાન્ય લક્ષણ. પેટમાં આમ-વગર પાકેલા રસના વધવાથી અથવા તે વિષ્ટાદિનો સંચય દુષ્ટ વાયુથી બંધાઈ–સૂકાઈ નિયમપૂર્વક ન ઉતરે અને પવન રોકાઈ જાય તેથી મનુષ્યના પટમાં આફરોપેટ ચઢી આવે તેને અનાઉરોગ કહે છે.
જે આમથી આફરો ચડ્યો હોય તે, તરસ, શીખમ, માથામાં વેદના-બળતરા, કાઠામાં શળ, શરીર ભારે, છાતીમાં દુખાવો તથા સજા૫ણું અને ઓડકાર આવે નહીં એટલાં લક્ષણો થાય છે.
જે ઝાડાના સંચય–વધવાથી આફરે થયો હોય તે, કેડ, વાંસે કિંવા શરીર ઝલાઈ જાય, મળ-મૂત્ર ઉતરે નહીં તથા શૂળ ચાળે, મૂચ્છ, વિષ્ટાનું વમન અને અળસક નામને કૉલેરાને રોગ પેટનું ચઢવું અને શ્વાસ થાય છે.
ક્રમવાર ઉદાવના તથા આફરાના ઉપાય. અધેવાયુના રકવાથી થએલા ઉદાવર્ત માટે નેહપાન, તથા શેક વગેરેથી પરસે લાવવિ, ગુદામાં ઔષધની દિવટ કરીને મૂકવી અને ગુદામાં દવાઓની પિચકારી મારવી જેથી મટે છે.
ઝાડો રેકવાથી ઉદાવ થયે હોય તે, રેચ લગાડનાર અન્ન તથા ઔષધો, ગુદામાં સાબુ વગેરે દીવટ, તેલ મર્દન, અવગાહન, પરસે લાવવો અને પિચકારીઓ વગેરે ઉપયોગમાં લેવાથી મટે છે.
મત્ર રોકવાથી ઉદાવ થયો હોય તે, દુધ પાણી તથા વજનું ચૂર્ણ ટાંક ભાર લઈ સાથે જોળી પીવાથી ઉદાવ મટે છે. તથા ભોરીંગણ કે, રાતા ધમાસાને સ્વરસ કરી પી. અથવા કાકડીના બીજને પાણીમાં વાટી તેમાં જરા સિંધાલુણ નાખી પીવાં. અને થવા શેળવીને રસ, સાકર, દુધ, ધાખને રસ કે જેઠીમધનો રસ પીવો. અથવા મૂત્રકૃચ્છ અને પથરીના અધિકારમાં જે ઉપાયે કહેવામાં આવશે તે ઉપયોગમાં લેવા.
બગાસાં રોકવાથી ઉદાવ થયો હોય તે, સ્નેહ અને સ્વેદની ક્રિઆઓ તથા વાયુને હણનારા અન્ય ઉપાયો ઉપયોગમાં લેવા.
આંસુ રોકવાથી ઉદાવ થયે હોય તે, સારી પેઠે રોઈને આંસુ પાડવાં, તથા સુખપૂર્વક સુઈ જવું અને બીજા મનુષ્યોએ તેને મનહર–રસિલી વાત સંભળાવવી.
છિંકના રોકવાથી ઉદાવ થયો હોય તે, મરી, રાઈ, નખ છીંકણું વગેરે તીકણું પદાને સુંધી તથા સૂર્ય સન્મુખ જોઈ જેમ છિંક આવે તેમ કરી છિકે ખાવી અને સ્નેહ તથા વૈદનું પણ સેવન કરવું.
ઓડકાર રોકવાથી ઉદાવર્ત થયો હોય તે, તેલનું મર્દન, પરસે લાવે, અને સ્નેહવાળા પદાર્થોનું ધુમ્રપાન કરવું.
For Private And Personal Use Only