________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૪)
અમૃતસાગર,
(તરંગ
યુતરય બસ્તિ—એટલે એરંડાના મૂળને વાળ કરી તેમાં મધ, તેલ, સિંધાલૂણ, વજ અને પીપર નાખી પિચકારી દેવી.
સિદ્ધબતિ એટલે–પંચમૂળના કવાથમાં તેલ, પીપરસિંધવ તથા જેઠીમધ નાખી પિચકારી દેવી.
ફળવાર્ત-એટલે દસ્ત થવાના માટે ગુદામાં ઘી ચોપડી અંગૂઠા જેવી જાડી બાર - ગળ લાંબી અને ચીકણી પડની દીવટ બનાવી અરધી ખેસવી.
આ સિવાય ઉત્તરબતિ પણ છે, તે લિંગ અને એનિમાં આપવાથી પુરૂષના વીર્યના દે અને સ્ત્રીના રજના નો નાશ થાય છે. આ સઘળી બસ્તિઓ માટે ખુલાશે મેળવવા વૃદ્ધત્રયી તથા લઘુત્રયી (ભાવપ્રકાશ, શાપર અને માધવનિદાન.) વાંચી વાકેફ થાઓ.
બસ્તિ કર્મ કરાવનારાએ ઉના પાણીથી ન્હાવું, દિવસે સુવું અને અજીર્ણ થાય તેમ કરવું નહીં.'
ધૂમ્રપાનનો વિધિ. . ધૂમ્રપાનના છ ભેદ છે એટલે શમન, વૃંહણ, રેચન, કાન, વાની અને ત્રણપન એવા છ પ્રકાર છે. મધ્ય તથા પ્રાયોગિક એ બે શમનના પર્યાય શબ્દો છે. સ્નેહ અને મૃદુ એ બે બૃહણના પર્યાય શબ્દો છે અને ધન તથા તીક્ષ્ણ એ બે રેચનના ૫
ય શબ્દો છે. થાકેલા, બીહીનેલા, દુખિયારા, પિચકારી દીધેલ હોય તેવા, જુલાબ લીધેલ હોય તેવાને, ઉજાગરાવાળાને, તરસ્યાને, બળતરાથી પીડાયેલાને, તાવવાળાને, શોધવાળાને, પેટના રોગીને, માથાના અભિતાપવાળાને, તિમિરવાળાને, ઉલટી, આફરો, છાતીના દરદ, પ્રમેહ, પાં, ગર્ભવતીને, લૂખા શરીરવાળાને અને ક્ષીણ થએલા મનુષ્યોને તથા જેણે દુધ, મધ ધી કે આસવનો ઉપયોગ કરેલ હોય તેવાને, અન્ન દહી કે માછલાં ખાધાં હેય તેને, બાળક, વૃદ્ધ અને દુબળા શરીર વાળાને ધૂમ્રપાન કરાવે નહીં. તેમજ બા રમું વર્ષ બેઠાં પહેલાં અને એશીમું વર્ષ ઉતર્યા પછી ધુંવાડાનું ગ્રહણ કરવું નહીં. હદથી વધારે કે ઓછો ધુંવાડે ગ્રહણ કરવા નહીં નહીં તે, ઉલટા નવા ઉપદ્રવ ઉત્પન્ન થાય છે. જે ગ્ય રીતે વિધિ સહિત ધુવાડે ઉપયોગમાં લે તે ઉધરસ, કફ, શળીખમ, શ્વાસ, ડોકની પીડા, દાઢી, તથા માથાની પીડા, અને વાયુના વિકારે મટી જાય છે. દ્રિો, વાણી અને મન સ્વચ્છ થાય છે. વાળ, દાંત અને દાઢી મૂંછ મજબૂત થાય છે તથા હે સુગંધિત થાય છે.
શમન ધુંવાડામાં એળચી આદિને, બંહણ ધુંવાડામાં ઘીવાળે રાળ, રેચન ધુંવાડામાં રાઇ આદિ તીખા પદાર્થોને, કાસળ ધુંવાડામાં ભેરીંગણું તથા મરીને, વાનન - વાડામાં નસો તથા ચામડાને અને ત્રણને ધુવાડી દેવામાં લીંબડાનો તથા વજ વગેરેને કક ઉપયોગમાં લે. અથવા રેગીની શાંતિ માટે ઘરમાં અપરાજીત ધૂપ અને પ્રહ દેષ, બાળગ્રહદોષ, ભૂત-પ્રેત, ડાકણી, આદિને નાશ કરવા માહેશ્વર ધૂપ કરવો. (જુવો ૫૪ ૧૨૪મામાં.)
૧ બસ્તિ કર્મમાં પ્રસ્થનો તલ ૨૮ તોલા ભારને ગણવે.
૨ કપેલા દોષને શાંત કરનાર, ૩ ધાતુઓને પુષ્ટ કરનાર, ૪ શરીરમાંથી ને ખાલી કરનાર ૫ ઉધરસ મટાડનાર, ૬ ઉલટી કરાવનાર ૭ અને ચાંદી બડાં વગેરેને ધૂણી દેવામાં ઉપયોગી.
For Private And Personal Use Only