Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 419
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) અમૃતસાગર, (તરંગ હેય એટલાએની નસ ખેલાવવી નહીં, જેવિશેષ જરૂર હોય તે જળ મૂકી હી કઢાવવું, પણ જે તેવા દરદીઓને ઝેર ચઢયું હોય તે ફસ ખેલી લેહી કઢાવવામાં હરકત નથી. વાયુથી, પિનથી કે કફથી લેહી બગડેલું હોય તે ગાયના શીંગડાથી, જળોથી કે તુંબડીથી લોહી કાફાડવું, પણ બે દેષથી કે ત્રણ થી લોહી બગડ્યું હોય તે, યુક્તિથી નસ ખેલીને, અસ્તર મારીને લેહી કઢાવવું. શીંગડું આસપાસથી દશ આંગળ સુધીનું, જળો એક હાથ સુધીનું, તુંબડી બાર આંગળ સુધનું, અસ્તરાના ચીરા બે આંગળ સુધીનું અને નસ ખોલવાથી સઘળા - રીરનું લેહી ખીંચીને સાફ કરે છે. ટાઢમા વખતે લેહી કઢાવવું નહીં. તેમજ ભૂખ્યાનું, મૂછિત દરદીનું, નિંદ્રાથી ઘેરાયલાનું, બીહીનેલાનું, દિવાળાનું, થાકેલાનું અને મળ-મૂત્રના રેકાણવાળાનું લેહી કહાડવું નહીં. લોહી કહાડવાની ક્રિયા કરતાં લોહી બહાર ન આવે તે, ઉપલેટ, સુંઠ, મરી, પીપર અને સૈધવથી છેદના ને ચળવું એટલે તેથી લેહી નીકળશે. જ્યારે બહુ તાપ, બહુ ટાડ ન હોય અને વેદપરસેવાની ક્રિયા ન કરી હોય તથા શરીર બહુ - ગરમ કરવામાં ન આવ્યું હોય તે તે સમય રોગીને રાબ પીવરાવી તપ કરી પછી લેહી કાહાડવું. બહુજ પરસેવો આવ્યો હોય, ઉષ્ણકાળ હોય, અથવા શસ્ત્ર બહુ ઉંડુ નસમાં ઉ તરી ગયું હોય તે લેહી બહુ નીકળે છે. જે લેહી બહુ નીકળવા લાગે તે દર, રાળ, રસવંતી, જવનો લોટ કે (ઘઉંને લેટ) ધાવડીનું ચૂર્ણ, ધતુરાનું ચૂર્ણ, ગેરૂ, સાપની કાંચળ, અને રેશમી કે સાદા લુઘડાની રાખના ચૂર્ણથી એટલે એમાંથી ગમેતેના ચૂર્ણથી છેદને રેકી દેવો જેથી લોહી નીકળતું બંધ પડે છે. શીતોપચાર કરવાથી પણ લેહી વહેતું બંધ પડે છે. ખાર મૂક્વાથી વ્રણનું મોં જોડાઈ જાય છે અને ડાભથી નસેને સંકેચ થાય છે. • બગડેલું લોહી શરીરમાં જરા બાકી રહી જાય તેની હરકત નહીં, પણ લેહી બહું નિકળે છે તેથી અન્ય નવા ઉપદ્રવ થાય છે–એટલે અંધાપ, આક્ષેપ વાયુ-તાણ, તરસ, આંખને તિમિર રેગ, માથાનાં દરદ, પક્ષઘાત, શ્વાસ, ઉધરસ, હેડકી, બળતરા તથા પાંડુરોગ એએની ઉત્પત્તિ થાય છે. અને સમય ઉપર મૃત્યુ પણ થાય છે. દેહની ઉત્પત્તિ લોહીથી જ છે. લેહીજ દેહને ધારણ કરે છે અને લેહી એજ જીવનના આધારભૂત છે માટે લોહીનું અવશ્ય રક્ષણ કરવું. લોહી કહાડયા પછી ટાઢા ઉપાય કરવાથી પવનનો કોપ થાય તે વ્યથાવાળા સેજા ઉપર જરા ઉનાશવાળું ધી રેડવું. લોહી નીકળવાથી નબળાઈ વધી પડે તે, હરણ, સસલા, ઘેટા, કાળીઆર અને બકરાના માંસના રસે પાવા, તથા દુધની સાથે સાઠાચોખા ખવરાવવા. લેહી બરાબર નીકળ્યું હોય તે પીડાની શાંતિ, શરીરમાં હલકાપણું, વ્યાધિ તથા ઉપદ્રનો નાશ અને મનનું સ્વસ્થપણું થાય છે. લેહી કઢાવ્યા પછી જ્યાં સુધી બળ ન આવે ત્યાં સુધી અત્યંત મહેનત, મિથુન, કેવ, ટાઢા પાણીથી સ્નાન, ઘણા પવનમાં રહેવું, એકટાણુ જમવું, દિવસે સુવું, ખાટું-ખારું કે તીખું ભજન, શોક, વાદ અને અજીર્ણ થવાયોગ્ય ભજન વગેરે કરવાં નહીં. ભાવપ્રકાશ. લેહી કઢાવવાને વિધિ સંપૂર્ણ ઇતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિર ચિત અમૃતસાગરનામા ગ્રંથ વિષે આસવ-અરિષ્ટવિધિ, પાકવિધિ, શિલાછત શેધન, ખાર કહાડવાને વિધિ, ચણખારનો પ્રકાર, સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, હરીતકીગ, બસ્તિકર્મ, ધૂમ્રપાન અને લોહી કહાડવાને વિધિ નિરૂપણ નામને ચાવીશ તરંગ સંપૂર્ણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434