Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 421
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૮) અમૃતસાગર (તરંગ - તાજું ઘી, સિંધાલૂણ, વડ, ગોળ, દહીં અને હિંમત ઋતુમાં જે કહ્યા તે આહાર વિહાર ઉપયોગમાં લેવા. વસંત ઋતુના આહાર-વિહાર-આ ઋતુમાં કફપની શાંતિ માટે મધ સાથે હરડે ખાવી જેથી બળ વધે છે, વસંતમાં વન ઉપવનમાં એગ્ય વખતે ફરવું હિતકારી છે, ચિત્રા મૂળનું ગ્ય અનુપાન સહ સેવન કરવું. અને કફનો નાશ કરનારા આહાર વિહાર કરિવાજ સુખદ છે. ગ્રીષ્મઋતુના આહાર-વિહાર-ગહન વૃક્ષોની ઘટામાં હરવું-ફરવું, બેસવું, ગોળસાથે હરડે ખાવી, ટાઢું પાણી પીવું, શીખરણી-શીખંડ, સરબત, સાથવા, ધાખ, મીઠાં બેજન, ચીકણુ દ્રવ્ય, સાકર, ટાઢા પાણીમાં તરવું, ખસની ટઓ અને ફુવારાનું સેવન, કપૂર ચંદનનાં વિલેપન, દિવસે સુવું અને સુંદર ખસના પંખાને પવન તથા મનગમતા વિનોદ ઉ. પગમાં લેવા, પણ કડવી, તીખી, ખારી, ખાટી, દાહ કરનાર વસ્તુઓ, ખેદ, દારૂ અને તડકામાં બેસવું, ફરવું બિલકુલ ઉપયોગમાં લેવા યોગ્ય નથી. વર્ષતુના આહાર-વિહાર-સિંધાલુણ સાથે હરડેનું સેવન, ચીકણા દ્રવ્ય, ખારા, ખાટા પદાર્થો, ડાંગર, જવ, સુંઠ, મરી, પીપર, પીપરામૂળ, ચિત્રક તથા સિંધાલુણ સહિત દહીનું ઘોળવું, ઉનું પાણી, કુવાનું પાણી, ઘેળાં વસ્ત્ર, કરવું, હલકા ભજન અને જુલાબ, એટલાં પથ્ય છે. તથા દિવસે સુવું, ખેદ, તડકે, તળાવનું પાણી પીવું, દહી, વનનું ધાન્ય, અને મૈથુન એટલાં કુપથ્ય છે. શરઋતુના આહાર-વિહાર-વર્ષાઋતુમાં સંચય થએલ પિત્ત શરતુમાં કેપ પામે છે માટે સાકર, સાથે હરડે સેવન કરવી, તથા સાકર વગેરે મીઠા પદાર્થો, સાડીઓખા, મગ, તળાવનું પાણી, ઉકાળેલું–કહેલું દુધ, અને ધાતુ, વીર્ય, પરાક્રમને વધારનાર વસ્તુઓનું સેવન સદા હિતકારી છે. તથા તીખા, ખાર, ખાટા પદાર્થો, આસવ, તો, દિવસે સુવું, ૫વદિશાને પવન એટલાં સદા અહિતકારી છે. વિશેષ માહિતી માટે કેશવકલ્યાણ અને વૃદ્ધત્રયી વાંચો. દિનચર્યા. (પઢીએ ઉડી સાંજરે સુવા સુધીમાં મનુષ્ય શું શું કરવું? નિરોગી મનુષ્ય પોતાના આયુના રક્ષણાર્થે પાછલી ચાર ઘડી રાત રહે ત્યારે જાગવું ? અને દુઃખ-કષ્ટની શાંતિ નિમિત્તે શ્રી જગતનિયંતા પરબ્રહ્મ પરમાત્માનું વા, પિત પિતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. પછી માંગલિક વસ્તુઓને સ્પર્શ તથા તેવી વસ્તુઓનું દર્શન કરી, આજે અમુક કામ કરવું અને અમુક કામ ન કરવું તેનો નિશ્ચય કરી પથારીમાંથી ઉઠી ઉભા થઈ મળ-મૂત્રને ત્યાગ કરી એટલે મળમૂત્રનો વેગ ન રેકતાં તથા પણે હાજત ન લાવતાં મળમૂત્રના દિવસે ઉત્તર દિશા તરફ અને રાતે દક્ષિણ દિશા ભણી મેં રાખી ત્યાગ કરે. પછી સીધા ઝાડનું એટલે બેલસીરી, બાવળ આદિ ઝાડનું પિતાના હાથની છેલી આંગળી ૧ સુશ્રત કહે છે કે દિવસના પ્રથમ ભાગમાં વસંત, બપોરે ગ્રીખ, ત્રિીજા પહોરે શિશિર, સંધ્યાએં વર્ષ,અરધી રાતે શરદુ અને પરેઢીએ હેમંતઋતુનાંચિન્હ જણાય છે અર્થાત એક અહેરાત્રી માં પણ છ ઋતુઓના સ્વભાવ દેખાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434