Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 401
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૮) અમૃતસાગર (તરંગ આ તલના ભાવેશથી વાંઝણી પુત્રવંતી થાય અને અપુત્રને પુત્ર થાય છે તથા સો વર્ષનું આ યુષ્ય થાય છે, આ ચંદનાદિ તૈલ તાવ, બળતરા, પરસેવે રકતપિત્ત, ક્ષય, દુર્ગધ, કોઢ અને વલુરને નાશ કરે છે. અથવા કૌચાં તોલા ૨૬ લઇ ૬૪ તલા ગાયના દૂધમાં નાખી ધીમાં તાપથી પકાવવાં. પછી તેને છેતરાં વગરનાં કરી ઝીણું વાટી તે મેદા જેવી લુગ દીની ન્હાની ન્હાની રેવડીઓ બનાવી ગાયના ઘીમાં તળી સાકરની બમણું ચાસણીમાં ગલેફવી. પછી તે રેવડીઓ ડુબી જાય તેટલા મધમાં નાંખી નોખી નોખી રાખી મુકવી. આમાંથી પાંચ ટાંક જેટલી સાંજે તથા પ્રભાતે સેવન કરે છે જેનું વીર્ય તુરતીલત થઈ જતું હોથ તથા જેની ઈદ્રી નમી જતી હોય તે પુરૂષ પણ રતિ સંગમમાં વાજીના સમાન સામર્થ પ્રાપ્ત કરે છે. આ વાનરિ ગુટિકા કહેવાય છે. અથવા અકલકરો, સુંડ, લવીંગ, કેસર, પીપર, જાયફળ, જાવંત્રી અને સુખડ, એ પ્રત્યેક પદાર્થોને એક એક લાભાર લઈ તેઓનું ચૂર્ણ કરીને તેમાં ચાર લાભાર ચોખું અફીણ મેળવી પછી તેની પાંચ પાંચ રતી ભારની ગેલીઓ વાળી નિરંતર એક એક ગોળી રાતે મધની સાથે ખાય તે પુરૂષનું વીર્ય તંભન થાય છે, રતિ ક્રિયામાં અતિ આનંદ થાય છે. અને સ્ત્રી વલ્લભ થાય છે. આ અકરભાદિ ગુટિકા કહેવાય છે. આ ગોળી ઉપર કહેલું દુધ પીએ તો વિશેષ ફાયદો થાય છે. અથવા યકેળાના ચૂર્ણને ભેય કોળાના રસની ૨૧ ભાવના આપી પછી મધ તથા ધીમાં મેળવી ચાટે તે દશ સ્ત્રી સાથે રમણ કરવા જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. અથવા આંબળાના ચૂર્ણને આંબળાના રસના ૨૧ પુટ દઈ તેને સાકર મધ અને ઘી સંગાથે મેળવી ચાટે તે ૮૦ વર્ષને વૃદ્ધ પણ યુવાન સમાન રતિક્રીડા રમે છે. સુશ્રુત સંહિતા. અથવા અભ્રકની શુદ્ધ ભસ્મ ૪ ભાગ, બંગની શુદ્ધ ભસ્મ ૨ ભાગ, પારાની શુદ્ધ ભસ્મ ૧ ભાગ, અને એ સઘળાના બરાબર ભાગે શતાવરી લઇ તથા ચાતુર્જત (તજ, તમાલપત્ર, નાગકેસર, એલચી), જાયફળ, ત્રિકટુ, લવીંગ અને જાવંત્રી એ બબે ભાગ લઈ સર્વનું ચૂર્ણ કરી તેનાથી ચૂર્ણથી) બમણું સાકર મેળવી ઘી અને મધના સાથે ગોળીઓ વાળી અગ્નિના બળના પ્રમાણમાં માત્ર ઉગમાં લેવાથી તુરત નવીન આનંદને વધારે છે, ઘણી મદવતી સ્ત્રીઓ સાથે રમણ કરી તેઓનું માન મર્ડન અને સર્વે રેગ (વીર્ય–નબળાઈના સર્વ રગે)નો નાશ કરે છે--આ મદનમંજરી ગુટિકા કહેવાય છે. ગ તરંગીણી “અથવા શુદ્ધ અફીણ અને શુદ્ધ પારે સમાન લઈ તેઓને ધતુરાના બીજના તેલમાં ૩ દિવસ સારી પેઠે ધુંટી તેમાં સાકર અને ભાંગ બરાબર મેળવી ૧ રતીભાર તેમાંથી ખાઈને ઉપર દુધ (કહેલું) પીએ તે વીર્ય સ્તંભન થાય છે. અને નપુષપણું મટે છે. સાર સંગ્રહ” અથવા જાયફળ, અકલકરો, લવીંગ, સુંઠ, કેસર, પીપર, કસ્તુરી, બરાસ, અને અશ્વિની શુદ્ધ ભસ્મ એ સર્વ સમાન લઈ તેઓ સર્વની બબર શુદ્ધ અફીણ લઈ સર્વને ઝીણું વાટી મગ જેવડી ગોળીઓ વાળી તેમાંથી એક ગોળી વા ૨ ગળી ખાય તે વીર્ય સ્તંભન થાય છે. આ નાગાર્જુની ગુટિકા કહેવાય છે. અથવા આરતીને કપૂર, ફુલાવેલ ટંકણ અને પાર એ સમાન લઈ અગથી આના રસમાં અને મધમાં ૧ દિવસ ઘુટી સોપારી છોડી ઇદ્રી ઉપર લેપ કરી ૧ પહોદ્ધાર રાખી પછી ધોઈ નાખી સ્ત્રી સંગ કરે તે વીર્ય સ્તંભન થાય છે. અથવા પેળી કણેરના જડની છાલ, અકલકર, અજમેદ, કાળાધતુરાનાં બીજ, અને જાયફળ એ સઘળાંને પાણી સાથે વાટી મરી પ્રમાણે ગોળી બાંધી ૧ ગોળી મનુષ્ય ના મૂત્રમાં મણિ છત્ર છોડી દી ઉપર લેપ કરે તે નપું પકપણું મટે છે. અને વીય સ્તંભન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434