________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવીશમે.)
ધાતુ
ધન-મારણ પ્રકરણ
(૩૭૧ )
*
++ +
+
ગ
-
-
-
-
-
-
સીસાની ભસ્મ કરવાનો વિધિ. શુદ્ધ કરેલા સીસાને માટીની તાવડી કે ડીબમાં ગાળી તેમાં સીસાના ચોથે ભાગે પીપળાની તથા આંબલીના છેડીની ભૂકી થોડેડે નાખી લોઢાની કડછી વતે હલાવતા જવું. એમ ન પહોર સુધી કરવાથી સીસાની શુદ્ધ ભસ્મ થાય છે. તે ભસ્મને સરખે ભાગે શુદ્ધ મણશીલ, સાથે કચ્છમાં વાટી કોડીઆના સંપુટમાં મુકી કપડા માટી કરી ગજપુટ અગ્નિ આવે. જ્યારે તે અગ્નિ પોતાની મેળેજ શીતળ થઈ જાય ત્યારે તે ભસ્મને ફરી મણશીલ અને કાજી સાથે ઇંટી પુન ગજપુટ અગ્નિ આપો. આ પ્રમાણે ૬૦ પુટથી સીસાની શુદ્ધ ભસ્મ થાય છે તેને નાગેશ્વર કહે છે. આ નાગેશ્વર ભસ્મ સ્તી ૧ વા, ૧ રતી યોગ્ય અનુપાન સાથે સેવન કરે તે અધિક ગુણે આપે છે અને સર્વ રોગને દૂર કરે છે. ભાવપ્રકાશ,
અથવા સીસાને શુદ્ધ કરી કઢાઈમાં ઓગાળી પછી તેને કેવડાના જાડા મૂળીયાથી હલાવ્યા કરવું, જેથી દિવસમાં તેની રાતી ભસ્મ તૈયાર થાય છે. તેને ૨૧ દિવસ રતીભાર સેવન કરે તે ઘણા ગુણ કરે છે.”
બંગ-કલની ભસ્મ કરવાનો વિધિ. માટીના વાસણની અંદર શુદ્ધ કરેલી કલઈને નાખી ઓગળ્યા પછી કલાઈથી ચોથા ભાગે પીપર અને આંબલીના છોડયાનું ચૂર્ણ લઈ થોડું થોડું ચૂર્ણ તેમાં નાખતા જવું અને લેવાની કડછીથી હલાવતે જવી. જેથી બે પહોરની અંદર કાઈની ઉત્તમ ભસ્મ થાય છે. તે ભસ્મના વજન જેટલી શુદ્ધ હરતાલ લઈ તે બનેને ખાટા રસથી ખરલ કરી, સરાવ સંપુટમાં મૂકી ગજપુટ અગ્નિમાં પકાવી દશમા ભાગે હરતાલ નાખી ખાટા રસથી ૧ પિહોર સુધી ઘુંટી ગજપુટ અગ્નિ આપ, એમ ૧૦ વાર કરવાથી શુદ્ધ કલઈ–બંગની ભસ્મ થાય છે તેને અંગેશ્વર કહે છે. માત્રા રતી ૧ ની છે. ભાવપ્રકાશ, અથવા શુદ્ધ કરેલી કલઈના બબર શુદ્ધ પારો લઈ તે બન્નેનેની ગાંઠ પાડી પત્રા કરી તેના ઝીણા ટુકડા કરી પછી ગાયના છાણનું કાણું પાકા પાંચશેર તેલ લઈ તે ઉપર કરેલાનું ચૂર્ણ શેર ૧ પાથરી તે ઉપર કલઈના કકડા પાથરી ફરી તે ઉપર કસેલાનું ચૂર્ણ બીછાવી તે ઉપર તે ટલાજ વજનનું બીજુ છાણું ઢાંકી આસ પાસ બીજ છાણ ગોઠવી પવન ન આવે તેવી જગ્યાએ મુકી અગ્નિ પ્રકટ. તે અગ્નિ શાંત થયા પછી કલઈના મમરા પાકીને તૈયાર થશે તેને વાટી ચાળી યોગ્ય માત્રાએ ઉપગમાં લેતે સારો ફાયદો આપે છે.” જેવી રીતે કલકની ભસ્મનો વિધિ છે તેવી જ રીતે જસદ ભસ્મન પણ વિધિ છે.
લેહ ભસ્મને વિધિ. “શુદ્ધ કરેલ ગજવેલનો ભૂકો કરાવી તેને છોશમાં, ગોમૂત્રમાં, તથા કાંજીમાં ૭-૭ વાર (તપાવી તપાવીને ) બુઝાવી પછી આકડાના દુધના ૭ પુટ, ઘરના દુધના ૭ પુટ, ત્રિફળાના રસના ( રસ નમળે તે તેના કવાથના) ૭ પુટ દેવા અને દાડિમના પાનના રસના ૭ પુટ દઈ અર્થાત પુટ દેતા જવું અને ગજપુટ અગ્નિ આપતા જવું. જ્યાં સુધી તે ગજલની ભસ્મ પાણી ઉપર તરે નહીં ત્યાં સુધી પુટ અને ગજપુટ અગ્નિ આપો. આ પ્રમાણે બનેલી લેહ ભસ્મ સેવવાથી ઉત્તમ ગુણ આપે છે. અથવા ગજવેલના બુરાદા
For Private And Personal Use Only