________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે. )
સુરેગ પ્રકરણ
( ર૮૯)
કહે છે. આ ખીલ પ્રત્યેક જવાન મનુષ્યના મહે ઉપર થાય છે. ઉપાય-લોદર, ધાણા અને વજને લેપ કરે. અથવા ગેરૂંચંદન અને મરીને લેપ કરે. અથવા સરસવ, વજ, લોદર અને સિંધવનો લેપ કરે. અથવા ઉલટી કરાવવી. અથવા શીમળાના કાંટા દુધથી વાટીને ત્રણ દિવસ ચોપડવા જેથી જવાનીના ખીલ મટે છે. .
વ્યંગ તથા નીલિકાનું લક્ષણ-કોધથી, અને પરિશ્રમ-થાકથી, કપ પામે પિત્ત સહિત વાયુ માં આવીને તુરત મહે ઉપર વેદના વગરનું પાતળું અને કાળી ઝાંખવાળું કુંડાળું પાડે છે તેને વ્યંગ કહે છે. અને મોં ઉપર કે ગાલ ઉપર વેદના વગરનું પાતળું કાળું મંડળ પડે છે તે નીલિકા-દાઝ કહેવાય છે. ઉપાય-નસ ખેલાવી લેહી કડાવવું. અથવા વડવાઇના અંકુરા, અને મસૂરનો લેપ કરવો. અથવા મઠને મધમાં વાટીને લેપ કરે. અથવા વાયવરણાની છાલને બકરીના મૂત્રમાં વાટીને લેપ કરે, જેથી બંગ–મુખ છાયા મટી જાય છે. અથવા જાયફળનો લેપ કરવાથી વ્યંગ તથા નલિકા એ બને મટી જાય છે. અથવા આકડાનું દુધ અને હળદરને ચાળવાથી લાંબા વખતથી થએલી હોં ઉપરની કાળાશ જરૂર મટી જાય છે. અથવા મસૂરને દુધમાં વાટી ધી મેળવી તેનો લેપ કરે તે સાત દિવસે કાળાશ મટી સુંદર મુખ થાય છે. અથવા વડનાં પીળાં પાંદડાં, જાઈ, રતાં જળી, ઉ. પલેટ, માજીક અને દર એઓને લેપ કરે તો જવાનીના ખીલ અને મુખ છાયા નાશ પામે છે. અથવા કેસર, સુખ, દર, પતંગ, રતાં જળી, દારુહળદર, વાળ, મજીઠ, જેઠીમધ, તમાલપત્ર, પક, કમળ, ઉપલેટ, ગેચંદન, હળદર, લાખ, કાળીચક, નાગેરૂ, નાગકેસર, કેસુડાં, ઘહેલા, વડના અંકુરા, માલતી, મીણ, સરસવ અને સુગંધીવજ ( પાનની જડ? ) એ પ્રત્યેક પદાર્થો એક એક લાભાર લઈ ગણું દુધમાં વાટી એ કલ્કથી ૧૨૮ તેલા તેલને ધીમા તાપથી પકાવી તેને મેહડા ઉપર માલેશ કરે તે વ્યંગ–મુખ છાયા, નીલિકા, તિલ, મસા, જવાનીના ખીલ, પદ્મનિકંટક, અને જંતુમણિ-લાખાં વગેરેને નાશ કરે છે અને મુખને પુનમના ચંદ્રમા જેવી કાંતિવાળું સુંદર બનાવે છે. આને કુંકુમાઘ તૈલ કહે છે. ભાવપ્રકાશ, | વાલમીકનું હેતુ સહ લક્ષણ-ખભા, ડેક, બગલ, હાથ અને પગ તથા સાંધાઓને ગળામાં રાફડાની પેઠે ઘણી ટેકરીઓવાળો ઉંચો અને ઉંડા મૂળવાળો ગ્રંથી થાય છે. તેમાંથી પરૂ વહે છે, વ્યથા થાય છે અને અનેક નારાઓથી વિસર્પની પેઠે ફેલાય છે. ઘણું કરીને ગાંઠ થયા છતાં કાળજી ન રાખે તે આવી દશા થાય છે. વધારે વખત આ રોગ હોય તો અસાધ્ય છે. ઉપાય-શસ્ત્રવતે કાપી ખાર કે અગ્નિથી સાફ કરી અર્બુદના ઉપાયની પેઠે ઉપ કરવા. વધારે ફેલાયેલો પણ મર્મસ્થાનમાં ન હોય તે સંશોધન કરી લોહી કઢાવવું તથા મનઃશિલાધ તૈલ ચોપડવું, હાથ પગ ઉપર ઘણાં નારૂવાળ વાલ્મીક હોય તે મટને નથી. ભાવપ્રકાશ,
સુક રેગને અધિકાર સંપૂર્ણ
૧ લેપ ૫ આંગળ જડ કનિષ્ટ, આંગળના ત્રીજા ભાગ જેટલો મધ્યમ અને અરધ આંગળ જેટલો ઉત્તમ જાણ, તથા લેપ સુકાવવા આવે એટલે કાકડી નાખવો નહીં તે, મુખની કાંતિને બગાડે છે.
ભાવપ્રકાશ.
૩૭
For Private And Personal Use Only