________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે )
મુખગ પ્રકરણ
(૩૨૯)
કવાથ કરી મધ સાથે પા, જેથી વાયુજન્ય ગળાના રોગો મટે છે. અથવા કડુ, અતિવિષ, દેવદાર, કાળીપાડ, મોથ અને શુદ્રજવ એઓને ગોમૂત્રમાં કાઢે કરી પીવાથી પિત્ત સંબંધી ગળાના રોગો મટે છે. અથવા મણકાધાખ, કડુ, સુંઠ, મરી, પીપર, દારૂ હળદર, પાતળી તજ, ત્રિફળા, મથ, કાળીપાડ, રસવતી, છે, અને તેજબળ એઓનું ઝીણું ચૂર્ણ કરી મધમાં કાલવી સેવન કરે તો કફ સંબંધી ગળાના રોગે મટી જાય છે. અથવા જવખાર, કાળીપાડ, તેજબળ, રસવતી, દારુહળદર અને પીપર એની ગોળી મધ સાથે બને નાવી મોંમાં રાખે તે સર્વ પ્રકારના ગળાના રોગો મટે છે. ભાવપ્રકાશ,
ગળાના રોગને આવકાર સમાપ્ત,
આખા મેહડાના રોગનાં નિદાન તથા સંખ્યા. વાયુથી, પિત્તથી અને કફથી થએલા આખા મોહેડામાં ત્રણ રોગ થાય છે. એટલે જે વાયુથી થયેલ હોય તે–વેદનાવાળા ફેલાઓથી ચારે કેર માં વ્યાપ્ત થાય છે. જો પિત્તથી થએલે હેય તે-બળતરાવાળા અને અત્યંત પીળા ઝીણું ઝીણું ફેલ્લાઓથી આખું મ્યું ભરાઈ–વ્યાપ્ત થઈ જાય છે. જે કફથી થએલ હોય તે-થોડી પીડાવાળા, વલુર અને હેની ચામડીના જેવા રંગવાળા ફેલાઓથી આખું મોં વ્યાપ્ત થઈ જાય છે. આખા મહીંના રોગો પૈકી જે જે અસાધ્ય રોગ છે તેઓનાં નામે.
હોઠના રોગોમાં માંસથી થએલ, લોહીથી થએલો અને ત્રિદોષથી થએલે એ ત્રણ રોગો મટતા નથી.
દાંતના રોગોમાં સ્થાવદંતક, દાલન અને ભજનક એ ત્રણ મટતા નથી.
દાંતનાં પિઢાઓમાંના રોગોમાં વિદોષથી થએલી નાડી-ભરનીગળ અને સૈષિર એ બે રોગો મટતા નથી.
જીભના રોગોમાં અલાસ મટતો નથી. તાળવાના રોગોમાં તાવાર્બદ ભટ નથી.
ગળાના રોગોમાં સ્વર, વળય, છંદ, બલાસ, વિદારી, ગલૅધ, માંસતાન, શતાની અને ત્રણે દોષથી થએલી હિણી એ નવ રેગો મટતા નથી.
આ સઘળા રોગો માટે વૈધે પ્રથમ મટવું ઇશ્વરાધીન છે, એમ સ્પષ્ટ કહી પછી પધ કરવું, પણ જે “મટાડીશ” એવી હીંમત ઘાલીને ઔષધ કરે તે અપયશ મળે છે.
આખા ઓંના રોગના ઉપાય. વાયુના મુખરોગમાં લૂણ, ફટકડી વગેરેના કોગળા કે પ્રતિસારણ કરવાં. અથવા વાતહર વસ્તુઓના તેલથી કવળ કે નસ્ય આપવાં.
પિત્તના મુખ રોગ માટે પિત્તને હરનારાં એષ કરવાં, પણ પ્રથમ રેચ વગેરેથી - રીરનું શોધન કરી પછી જેઠીમધ અને ખેસારો કવાથ કરી તેમાં મધ નાંખી તેના કોગળા કરવા. અથવા દુધને ઉભું કરી તેમાં થોડું મધ અને ઘી નાખી તેના કોગળા કરવા. મતલબમાં મધુર અને શીતળ ઉપચારો કરવા.
For Private And Personal Use Only