________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવીશ,)
બાળરેમ પ્રકરણ,
(૩પ૭ )
અથવા વજ, રાળ, ઉપલેટ અને ઘી એઓની ધુવાડી દેવી. અથવા ગુલાલ, હીંગળેક, ફુલ, મેંપ, પારે અને મણશીલ એઓ ગાયના વાડામાં–ગશાળામાં મુખ્યમંડિકાને અર્પણ કરી દુધ તથા પુરોડાસનું બલિદાન દેવું અને માતા પામવતી ગુમ માપ
મધ્યાત્રિયા થાતુ તુત્વાં મુવમવિ. આ મંત્રવડે પાણી મંત્રી બાળકને તેજ ઠેકાણે નવરાવો.
નિગમેષના વળગાડને મટાડવા-બીલી, અરણી અને પ્રતિકરજ એઓના કવાથથી બાળકનું શરીર ઝારવું. અથવા કાંગ, સલ દેવદાર, ઉપલસરી, સવા, ભંય આંબળીની છાલ અથવા અરલૂ, દહીને મંડ, ખાટી ભાજી અને મૂત્ર એઓથી તૈલ પકાવી તે તેલ બાળકના શરીરે ચોળવું. અને પીપરના થડમાં તલ,ચોખા, ફુલ અને વિવિધ પ્રકારનાં ભક્ષ્ય -લાડુ વગેરે મીઠાઈનું બલિદાન બાળક ઉપર ૭ વાર ઉતારીને આપવું. ક્ષીરવાળા ઝાડ નીચે નવરાવી अजाननश्च लाक्षिनः कामरूपी महायशाः बालंपालायता देवो नैगमेयोऽभिरक्षतु આ મંત્રને પાઠ કરવો, જેથી નૈમેષ ગ્રહને દેવ મટે છે. ભાવપ્રકાશ બાળકોને ડાકણી વગેરેની થતી પીડાની ઉત્પતિ લક્ષણ
અને ઉપાય સહ વ્યાખ્યા. લંકાપતિ રાક્ષસ ભૂપ રાવણની બાર બહેનો છે તે બાળકોને પીડા કરે છે. એટલે બાળકના જન્મથી પહેલે દિવસે, પહેલે મહીને અને પહેલે વર્ષે નંદા નામની માતૃકા બાળકને પીડા કરે છે એટલે પહેલાં તાવ આવે, રૂવે અને ઉંકારા કરે તથા ધાવે નહીં તે તે નંદા માતૃકાનો દેષ સમજવો. તેના નિવારણ માટે નદીના બન્ને કાંઠાની માટી લઈ પુતળું બનાવી ચોખા, ઘેળાં ફુલ, ૭ ધોળી ધજા, ૭ દીવડાં, ૭ વડાં, સાત પૂરીઓ, ૭ મુઠીઓ, ૭ સાથીયા, ૩ જાંબુ ચંદન, ફુલ, નાગરવેલનાં પાન, માછલીનું માંસ, ધૂપ, દારૂ, અને ઉત્તમ ચોખા, એઓ બાળકના ઉપરથી ઉતારી ચાર રસ્તા વચમાં ઉગમણા ઉભારહી બપોરે ઉતાર મુકવો. પછી પીપળાનાં પાન કળશામાં નાખી તેમાં પાણી ભરી તે પાણીથી બાળકને નવરાવે અને લસણ, સરસવ, બકરાનું શીંગડું તથા લીંબડાનાં પાન અને શિવનિર્માલ્યની ધૂણી દેવી. તે ઉતારે ઉતારતી વખતે જે મંત્ર બેલ તે નીચે પ્રમાણે—
ॐ नमो नारायणाय अमुकस्य व्याधि हन, हन, मुंच मुंच की फट् स्वाहा - આ મંત્રવડે ઉતાર ઉતારી ઉપર કહેલ વિધિ ત્રણ દિવસ કરી ચોથે દિવસે બ્રહ્મ ભોજન કરાવવું, જેથી નંદા માતૃકાને દેવ મટે છે.
બાળકના જન્મથી બીજે દિવસે, બીજે મહીને કે બીજે વર્ષો સુનંદા માતા બાળકને પીડા કરે છે, તેથી તાવ આવે, આંખેં ફાટી જ રહે, ધૂક્યા કરે, ઉંઘ આવે નહીં, જોયા કરે, ઉંકારા કર્યા કરે અને ધાવે નહીં એટલા ઉપદ્રવ થાય છે. તેને મટાડવા એક પસલીપ્રસ્ત ચોખા, દહી, ગોળ તથા ધી એઓને એકઠાં કરી એક રામપાત્રમાં ભરી તેમાં ગંધ, પાનબીડાં, પીળાં ફુલ, પીળી ધજા ૭, ૭ દીવડાં, ૧૦ સાથીયા, માછલાનું માંસ, દારૂ અને તલનું ચૂર્ણ એટલી વસ્તુઓ બાળકના ઉપરથી ઉતારી આથમણિ દિશાએ સંધ્યા વખતે ચાર રસ્તા વચ્ચે તે બલિદાન દેવું અને પછી શાંતિ જળથી બાળકને સ્નાન કરાવી શિવ નિર્માલ્ય, સરસવ, બિલાડાના વાળ, વાળ, સુગંધીવાળો તથા ધી એનો તે બાળકને ધૂપ દેવો એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રાહ્મણોને જમાડવા, જેથી સુનંદા માતૃકાને દોષ
For Private And Personal Use Only