Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 394
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશમે.) બાળરોગ પ્રકરણ, (૩૬). બાળકની ઘૂંટી વાયુએ કરીને ફુલી જાય છે તેથી પીડાયુક્ત થાય છે તેને તુંડીપાક કહે છે. પિત્તના લીધે બાળકની ગુદા–બેસણું પાકે છે તેને ગુદપાક કહે છે. બાળકની ગુદા મળ મૂવથી ખરડાએલીધેયા વગર વધારે વખત રહે તેથી અથવા બાળકને પરસેવે વળ્યા છતાં ન નવરાવે તેથી લેહીને તથા કફને કોપ થાય છે અને ત્યાં વલુરને ઉત્પન્ન કરી ફેલ્લા ઉઠાવી પરૂ કરાવવા માંડે છે. આમ થવાથી ભયંકરચાંદી-ગુબડાં થાય છે તેને અહિપતના રોગ કહે છે. બાળકના શરીરમાં દોષની અછતને લીધે પાંપણોમાં એક કુકૂણક નામનો રોગ થાય છે, તેથી આંખ્યામાં પીડા, ચળ તથા પાણી ઝર્યા કરે છે. તે કારણથી બાળક પિતાના હાથથી લલાટ, નાક તથા આંખેને ઘસ્યા-ચોળ્યા કરે છે. સૂર્યનું તેજ જોઈ શકે નહીં અને આંખે પણ ઉઘાડી શકે નહીં. બાળકના શરીરમાં નિધ–ચીકણી, શરીર સમાન રંગવાળી, ગુથાયેલી, પીડા વગરની, ઝીણી મગના જેવા આકારની કફ વાયુના કોપથી જે ફેલીઓ થાય છે તેને અજગલિકા રોગ કહે છે. બાળક ગર્ભવતી સ્ત્રીનું ધાવણ ધાવે તે વા, ન ધાવે તે પણ તેને ઉધરસ, અગ્નિની મંદતા, ઉલટી, ઘેન, કૃશતા, રૂચિનાશ, ભ્રમ અને કઠાની વૃદ્ધિ થાય છે તેને પારિગલિંક રેગ કહે છે. અગ્નિને પ્રદિપ્ત કરનાર ઉપાયોથી આ રોગ મટી જાય છે. બાળકને જે દાંત-રાક્ષસી આવવા લાગે તો તે સમય સઘળા રેગેના કારણે રૂપ કહેવાય છે. પણ ઘણું કરીને તાવ, પાતળો ઝાડે, ઉધરસ, ઉલટી, માથામાં પીડા, ભરાઈ આવે, પથકી નામને પાંપણનો રંગ અને વિસર્ષ એએના કારણ રૂપ થાય છે તેને દતદેડક રોગ કહે છે. બાળકના રેગેના ઉપાયો. મોટા મનુષ્યોના માટે જે તાવ વગેરે રોગોમાં ઉપયો કહી ગયા છીએ તેજ રે બાળકને થયા હોય તો તેજ ઉપાય કરવા; પરંતુ ડાંભ, ક્ષારની ક્રિયા, ઉલટી, રેચ કે ફસ ખોલાવવા વગેરે ઉપાયો બાળકને કરવા નહીં. “મરણ કષ્ટમાં આવી પડેલા બાળકને ઉલટી, રેચ તથા બસ્તિ-પિચકારીની દવાઓ આપવી–” એમ સુકૃતની આશા છે. બાળકને જમ્યા પછી એક મહીના સુધી એક વાવડીંગ જેટલી અને પછી મહીને મહીને એક એક વાવડીંગ વધારતાં દવા આપવી, પણ દવા ચૂર્ણ કે કલ્પરૂપે વા ચાટણ રૂપે કરીને આપવી. કેટલાક આચાર્યોને એવો મત છે કે પહેલે મહીને એક રતીભાર - વધ મધ, ધાવણ, સાકર તથા ઘી એઓમાં કાલવીને ચટાવું, પછી દર મહીને એક એક રતી વધારતા જવું, તે છેક એક વર્ષનો બાળક થાય ત્યાં સુધી. અને પછીથી સેળ વર્ષને થાય ત્યાં લગી વર્ષે વર્ષે પાંચ પાંચ રતી વધારતાં ઔષધ આપવું, તે છેક સિત્તેરમા વર્ષ સુધી અને પછી ફરી બાળકની પિઠે એછા માપે દવા આપવી. કવાથ હોય તે ઉપર કહેલા માપથી ચાર ગણે પાવો. જે બાળક ધાવણ ધાવીને જ રહે તેને દુધની કે ઘીની સાથે ઐષધ આપવું. જે બાળકની માતાને ઔષધ આપવું હોય તે દુધ ઘીની સાથે જ આપવું. બાળક ધાવતું હોય અને અન્ન પણ ખાતો હોય તો તેને દુધ તથા ધીની સાથે એડ આપવું અણસમજુ બાળક ધાવણ ઉપરજ રહેતો હોય તે રતન ઉપર દવા ચેપડીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434