________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર
).
નેત્રરોગ પ્રકરણ
( ૩૦૩)
કોઈ સમયે વાયુ ભમરોમાં અને કોઈ વખતે નેલામાં એમ વારંવાર કર્યા કરે અને અનેક પ્રકારની તીવ્ર વેદના થાય તેને વાતપર્યય કહે છે
પાંપણે દારૂણ તથા લુખાં હોય આંખ વીંચાયેલી રહે, બળતરા થાય, સારી પડે છે નહીં, અને ઉઘાડતી વેળાએ આંખ વિકૃત દેખાય તેને શુષ્કાલિપાક કહે છે.
એક ઠેકાણમાં રહેલે વાયુ બીજા ઠેકાણામાં અથાત ડોકની વચમાં કે વાંસામાં, કાનમાં, માથામાં, ડાઢીમાં અને ઘાંટામાં રહેલ વાડું ભમર આંખ અને લમણામાં ઘણું વેદના ઉત્પન્ન કરે તેને અન્ય વાત કહે છે.
ખાટા રસ ખાવાથી આખી આંખ કાળી, રાતા છેડાવાળ, બળતરા તથા સેજા સહિત કરે છે તેને અશ્લાઘુષિત કહે છે.
જેની આંખમાં પીડા હોય વા ન હોય તથા આંખની નસે સતી થઇ જાય અને વારંવાર ચારેકોર વિકૃત વર્ણવાળી થાય તેને શિલ્પાત–સબળવાય કહે છે.
જે મનુષ્ય અજ્ઞાનથી શિરોત્પાતના ઉપાય ન કરે તો તેની આંખમાંથી વારંવાર ઘણાં આંસુ વહે, પીડા થાય, આંખ રાતી થઇ જાય અને જોઈ શકાય નહીં તેને શિરાહ કહે છે.
નેત્રના સામપણાનું લક્ષણ. આંખ્યામાં અપાર વેદના થાય, બહુજ રાતી રહે, ચળ આવે, કાયા જેવી ખટક થયા કરે, સણકા ચાલે અને પાણી ઝર્યા કરે તે જાણવું કે આંખ આમસહિત છે. માટે તે વખતે તે રોગીને લંઘન, લેખન, અંજન, ધૃતપાન, કવાથ, ભારે ભોજન, સ્નાન અને મીઠે કે કડવે રસ તથા બાફને શેક વગેરે ઉપયોગમાં લેવાં નહીં, નહીં તે નુકશાન થાય છે.
આમરહિત આગેનું લક્ષણ. પીડા ઓછી, ચળકતી, જે તથા આંસુ શાંત અને દેખાવમાં નિર્મળપણું જણાય તે નિરામનેત્ર જાણવાં, અર્થાત ઉપર મના કરેલાં કાર્યો કરવા લાયક થયાં છે.
નેત્રના રોગના ઉપાય. પગમાં સહુથી મોટી ધોરી નસ બે છે તે માથામાં પહોંચેલી છે અને તેના સબંધવાળી બીજી પણ ઘણી હાની નસો આંખોમાં પહોંચેલી છે, જેથી તે પગની નસો ઉપર સિંચન, મન અને લેપનથી આંખને ફાયદો મળે છે. મેથી, ગરમીથી, ઘસારાથી કે દાબવા વગેરેથી તે પગની નસે દેવવંત થઈ અને ખરાબ કરે છે માટે જ નરમ જોડા પહેરવા, પગોને તેલને ભાલેસ કર તથા પગોને સારી પેઠે જોવા તે આંખે રોગરહિત રહે છે. - નેલ રોગમાં બંધન, લેપ, વેદ, શિરોધ, રેચ, અંજન અને અતન-આદિ ક્રિયાઓ કરવી, આંખ, કુખ, શીખમ, વ્રણ અને તાવ એ પાંચ રોગમાં પાંચ રાત્રિ લંઘન કરવાથી શુદ્ધ થાય છે. અંજન, ભરણ ભરવાં, કે કવાથ પીવો એ આંખ દુ:ખવા આવી હોય ત્યારે ૩ દિવસ પછી ઉપગમાં લેવાં; કેમકે આમ એટલે ચાર રાત્રિ સુધી આંખનું કાચાપણું રહે છે માટે નિરામ-પાકાપણું થાય ત્યારે ઉપાય કરવા. અર્થાત ચોથે દિવસે ઉપાય કરવા.
અંજન આંજવાની મર્યાદા તથા વ્યાખ્યા. કાળા ડોળાની નીચે છેક આંખના છેડા સુધી અંજન કરવું. પ્રથમ બાબી આંખ માં જવું અને પછી જમણું આંખમાં આંજ આંજવું તેમાં પણ માગશર,
For Private And Personal Use Only