________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમે.)
નેત્રરેગ પ્રકરણ
(૩૦૫ )
કપ
=
=
=
નાંખતાં તેને અગ્રોતન કહે છે. મળને ઉખેડવા હોય તે, આઠ ટીપ, ભરતી કરવી હોય તે દશ ટીપાં, અને સ્નેહન હોય તે બાર ટીપાં નાખવાં. ઠંડી ઋતુમાં સહેજ ઉનાં અને તાપકારી ઋતુ હોય તે કંડાં ટીપાં નાખવાં. વાયુના દરદમાં કડવાં કે સ્નેહનાં ટીપાં, પિ
ના દરદમાં મધુર અને શીતળતાવાળાં ટીપાં, અને કફનું દરદ હોય તે તીક્ષણ, લુખાં તથા ગરમ ટીપાં નાખવાં. રઘળા પ્રકારનાં ટીપાંમાં ૧૦૦ ચપટી વગાડીએ તેટલી વાર સુધીની મર્યાદા જાણવી. કઈ રોગ ઉપર પણ રાત્રે ટીંપાં નાખવાં નહીં.
પિંડીને વિધિ. ગુણકારી ઔષધને સારી પેઠે વાટી પલી કરી. આંખ ઉપર મુકીને ઉપર લુગડાને પાટો બાંધવે. વાયુનું દરદ હોય તો નિષ્પ તથા ઉષ્ણ ઓષધીઓની થેપલી મુકવી, પિત્તનું હોય તો શીતળ ઔષધની અને કફનું દરદ હોય લુખાં અને ગરમ પડની થેપલી મુકવી.
એરંડાનાં પાંદડાં, એરંડાનાં મૂળ અને એરંડાની છાલ એની થેપલી મુકવાથી વાયુનું, આંબળાંની થેપલીથી કj, લાંબડાનાં પાંદડાની થેલીથી પિત્ત તથા કફનું, સુંઠ અને લીંબડાનાં પાંદડાં વાટી તેમાં જરા સિંધાલૂણ નાખી જરા ઉન કરેલ થેપલીથી વાયુ તથા કફનું દરદ મટે છે અને સંજો, ચળ ત પીડાનો નાશ કરે છે. ત્રિફળાની થેપલીથી ત્રણે દોષનું અને ત્રિફળામાં અફીણના ડોડવા–પસના ડોડા અને અફીણને રસ નાખી કરેલી થેપલીથી સર્વ પ્રકારના આંખોને દુખાવાનો નાશ કરે છે.
બિડાલને વિધિ. પાંપણુ વાળે ભાગ મુકીને આંખની ચોફેર અરધા આંગળ જેટલો જાડો લેપ કરે તેને બિડાટાકર્મ કહે છે. લેપ ન સુકા હોય ત્યાં સુધી જ રાખવો.
જેઠીમધ, સોનાગેરૂ, સિંધાલૂણ, દારુહળદર અને સાંજન એઓ સરખે ભાગે લઈ પણું સાથે ઇંટી આંખની આસપાસ લેપ કરે, જેથી સર્વ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. અથવા રસાંજન: અથવા હરડેને. અથવા બીલીના પાંદડાને. અથવા વજ, હળદર તથા સુંઠન. અથવા સુંઠ અને સેનાને એઓને લેપ કરવાથી આંખના રોગો મટી જાય છે.
તર્પણ વિધિ. જે ઘરમાં પવન તડકો કે ધૂળનો પ્રવેશ ન હોય તે ઘરમાં રોગીને ચત્તે સુવાડી અડદની કણક લઈ તેની આંખની ચારેકોર બે આંગળ ઉચી, સરખી, મજબૂત અને પહોળી પાળ બાંધી પછી રેગીની આંખે વીચાવી ઉના પાણીથી પીગળાવેલું ઘી અથવા પાણીથી ૧૦૦ વખત ઘેલું ઘી કે, દુધમાંથી પરબારું કહાડી લીધેલું ધી પાંપણના વાળો બુડી જાય ત્યાં સુધી તે પાળોમાં ભરવું તે ભરાયા પછી રેગીની આંખે ઉઘડાવવી અને ૧૦૦ આંક ગણીએ તેટલીવાર રાખવું. તેને તર્પણ કહે છે. આંખ્યો લુખી પડી ગઈ હોય, સુકાઈ ગએલ હોય, વાંકી, મેલી થઈ ગઈ હય, પાંપણોના વાળ ખરી પડતા હૈય, શિલ્પાત, આંખનું માંડ માંડ ઉઘડવું, તિમિર, અર્જુન, ફુલ, અભિસ્પંદ, અધિકંધ, શુષ્કાક્ષિપાક, સેજે અને વાતપર્ય એટલા રોગો ઉપર તર્પણ હિતકારી છે, પણ વાદળાથી છવાયેલા દિવસમાં, ઘણીજ ગરમીના દિવસમાં, ઘણુ જ ટાઢના દિવસમાં, ચિંતામાં, સંભ્રમમાં અને ઉપદ્રવો
For Private And Personal Use Only