________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
(તરંગ
કરે, પણ તે ગળે કોઈક વખતે વધે અને કોઈક વખતે ઘટે તે ગુલ્મ કહેવાય છે. અથવા જેમાં અરૂચિ હાય મળ-મૂત્ર તથા અધીવાયુ મુશ્કેલપણાથી ઉતરે, ઓડકાર બહુ આવે, ઝાડાનું રોકાણ, પેટમાં તૃપ્તિ, શરીર અશક્ત અન્ન ન પચવાથી શળ થાય, આંતરડાં બેલે, પેટ ચઢ અને પવનની ઊંચી ગતિ થાય વગેરે વગેરે લક્ષણે થાય એટલાં પૂર્વરૂપે સર્વ ગેળાન રોગમાં થાય છે.
' કેવા કારણોથી ગુમરોગ ઉત્પન્ન થાય છે?
લુખાં અન્ન પાનેના સેવવાથી, વિષમ અન્ન પાનના સેવવાથી, મળ-મૂત્રાદિગોના રોક વાથી, શચથી, પ્રહારથી, મળના ફીણ પણાથી, લંધનથી, વિરૂદ્ધચેષ્ટાથી અને બળવાન સાથે યુદ્ધ-કુસ્તી કરવાથી વાયુ ગુલ્મ ઉત્પન્ન થાય છે.
વાયુ ગેળાનું લક્ષણ. વાતગુલમથી જુદા જુદા ઠેકાણે પીડા થાય કિંવા પીડામાં ઘટારો વધારો થાય, ઝાડે તથા પવન રોકાયછે, મોં તથા ગળું સુકાય, શરીરની કાન્તિ કાળી કે રાતાશ પડતી થઈ જાય, ટાઢીઓ તાવ આવે, ખાધેલું પચવાના વખતે વિશેષ પીડા અને જમ્યા પછી ઓછી પીડા થાય તથા છાતી, રૂખ અને પડખાઓમાં પીડા થાય અને તુંરા, કડવા, તીખા કે લુખા અહાર તેને સુખ કરતા નથી.
પિત્તથી ઉત્પન્ન થએલા ગુલ્મનું નિદાન. - તીખા, ખાટા, તીક્ષણ. ઉષ્ણ અને બળતરા કરનારા પદાર્થો સેવવાથી, ક્રોધથી, અતિમદ્યપાનથી, તડકામાં વિશેષ કરવા કે રહેવાથી, અગ્નિના વિશેષ સેવનથી, આમના વધવાથી, પ્રહારથી અને લોહીના બગડવાથી તથા વિદગ્ધા જીર્ણથી ઓમાંથી ગમે તે કારણ કરવાથી પિત્ત કપ પામી પિત્ત ગુલ્મને પેદા કરે છે.
પિત્ત ગુલ્મનાં લક્ષણ. પિત્તના ગુલમથી તાવ, તરસ, શરીરમાં પીડા, ગ્લાનિ, શરીરને વર્ણ રાતાશ પડતે, ' જન પચવાના વખતે ભારે શૂળ, પરસેવો અને બળતરા થાય છે. તથા ગેળા ઉપર હાથ અને ડાડતાં હેવાય નહીં તેવી વેદના થાય છે.
કફથી ઉત્પન્ન થએલા ગુલમનું નિદાન. ઠંડી વસ્તુઓના ખાવા-પીવાથી, ભારે કે સ્નિગ્ધ અન્ન-પાનથી, બેસી રહેવા-કસરતમહેનતના ન કરવાથી અને દિવસે સુવાથી કફને ગુલ્મ પેદા થાય છે.
કફના ગેળાનાં લક્ષણ, કફગુલમથી ભીના કપડાથી શરીર વીટાયેલું હોય તેવું જણાય; ટાઢીએ તાવ આવે, ગામાં ગ્લાનિ, મેળ, ઉધરસ, અરૂચિ, શરીર ભારે, વેદના થડી, અગ્નિની મંદતા, ૫- રસે, હુબકા, બકારી અને કફનાં બીજાં પણ ચિન્હ થાય છે.
બબે દેષનાં ચિન્હ હોય તો કંકજ અને ત્રણે દેવનાં ચિન્હયુક્ત હોય તે, ત્રિદોષ
For Private And Personal Use Only