________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨ )
અમૃતસાગર,
(તરંગ
વધરાવળની સંપ્રાપ્તિ. જે અધોગામી (નીચે ગતિ કરનાર) પવન છે તે પિતાનાં કારણેથી કુપિત થઈ વૃક્ષણ અને જાંઘની સંધિઓમાં પ્રાપ્ત થઈ ત્યાંજ વિચરતે તે સ્થળે સજા અને શળને ઉત્પન્ન કરે છે, ત્યારપછી બન્ને અંડકોષ અને અંડની ચામડીના ભંડારને વહેવાવાળી જે નસો તેમાં તે દુષ્ટ વાયુના સંચારથી પીડિત કરે છે ત્યારે તે બન્ને અંડ અને કોથળી વધી જાય છે તેને વધરાવળ કહે છે-મુક્કવૃદ્ધિ, અંડવૃદ્ધિ, કુરંગ, અંગવૃદ્ધિ વગેરે પણ તેનાંજ નામો છે.
સાતે પ્રકારની વધરાવળનાં લક્ષણ. જે વધરાવળ વાયરાથી ભરાએલી ધમણના જેવી સ્પર્શવાળી, લુખી, અને જેમાં વિના કારણે (છેટાનાં અલ્પ નિદાનથી) તેમાં પીડા થાય તેને વાયુની વધરાવળ કહે છે.
જે વધરાવળ પાકેલા ઉબરાના ફળ જેવી હોય, અંદર બળતરાવાળી તથા બાહાર પણ તપતી હોય અને સોજો હોય તેને પિત્તની વધરાવળ જાણવી.
જે વધરાવળ ટાઢી હોય, ભારે-સ્નિગ્ધ-ચીકણું હોય, ખરજવાળી, કઠણ અને થોડી પીડાવાળી હોય તેને કફની વધરાવળ જાણવી.
જે વધાવળ કાળા ફેલાઓથી વીંટાયેલી અને પિત્તની વધરાવળનાં લક્ષણો સહિત હોય તે દુષ્ટ લોહીની વધરાવળ જાણવી.
જે વધરાવળ કુણ, તાડના ફળની પેઠે નીલ તથા ગોળ હોય અને કફની વધરાવળનાં લક્ષણોએ કરીને સહિત હોય તે મેદની વધરાવળ જાણવી.
જે મનુષ્ય મૂત્રના વેગને અટકાવી રાખે અને પંથ કરે તેથી કમળ અંડ વધે છે અર્થાત તેને મૂત્ર સંબંધી વધરાવળ થાય છે. જે વધરાવળ ચાલવાના સમયમાં પાણીની ભરેલી પખાલની પેઠે ક્ષોભ પામતી હોય, પીડાયુકત, કુણી, મૂત્ર કષ્ટથી ઉતરે તેવી અને ગોળીઓની નીચે લટકતી હોય તેને મૂત્રની વધરાવળ કહે છે. - આંતરડાં સંબધી વધરાવળ કે જેને અંગ્રવૃદ્ધિ-અંતરગળ કહે છે તેની
ઉત્પત્તિ અને લક્ષણ. જે વસ્તુના સેવનથી વાયુ કરે તેવી વસ્તુઓના ભોજનથી, ટાઢા પાણીમાં ડુબકીઓ મારવાથી, મૂત્ર વગેરેના વેગોને રોકવાથી, ઘણો ભાર ઉપાડવાથી, ઘણે પંથ કરવાથી, વાંકી રીતે અંગેની મરડવાથી, અને પિતાથી બળવાન હોય તે સાથે કુસ્તી કે બાથાબાથી કરવાથી તથા કઠણ ધનુષના ખેંચવાથી વગેરે વગેરે કારણોથી દૂષિત થઇને ચલિત થએલો વાયુ જ્યારે નાના આંતરડાના ભાગને દૂષિત કરીને તેના ઠેકાણાથી નીચે લઈ જાય છે ત્યારે તે વાયુ વૃષણના સાંધામાં રહી પોતે તે સાંધામાં ગાંઠ જેવા સોજાને ઉત્પન્ન કરે છે તેને અંતગળ કે અંત્રવૃદ્ધિ કહે છે. જે આ વધરાવળની માવજત ન કરવામાં આવે તે પેટ ચઢી આવે છે, વધેલા વૃષણમાં પીડા થાય છે, અને શરીર ઝલાઈ ગયા જેવું થઈ જાય છે. આ વધરાવળને જે હાથવતે દાબવામાં આવે તે અવાજ કરીને પિતાના ઠેકાણામાં પેસી જાય છે અને દાબેલી છોડી દેતાં પાછી ફુલી આવે છે. અથવા પુનઃ આફરે ચઢે ત્યારે બહાર નીકળી આવે છે.
For Private And Personal Use Only