________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદમો. )
અપચી ગ્રંથી તથા રસોળી પ્રકરણ
(ર૧૯)
૪, મરી તલા ૪, ત્રિફળાં તોલા ૬, વાયવરણાં તેલ ૧, તમાલપત્ર ૨૪ રતી, એળચી ૨૪ રતી અને તજ ૨૪ રતી ભાર લઈ એનું એકઠું ચૂર્ણ કરવું. પછી તે સર્વની બરોબર શુદ્ધ કરેલ ભેંશા ગુગળ લઈ તે સાથે ચૂર્ણને મેળવી–એકછવ કરી ગોળ કરી રાખે. આમાંથી ૨૪ રતી ભારની ગોળીઓ કરી હમેશાં પ્રભાતકાળે સેવન કરે તે મહાઅકારે ગળાંડ વ્યાધિ, અપચી, રસોળી, ગ્રંથીઓ, ગડ-મુંબડ, ઘા, ગોળાને રેગ, ઢ અને ભગંદર એઓનો નાશ થાય છે. આ ગોળીઓ ઉપર બારીઆકલ્હારનો ઉકાળો અથવા બેરસારને ઉકાળ કે હરડેને ઉકાળો જરા જરા ઉને હોય તે પાવાથી અતિગુણ આપે છે આ કંચનાર ગુગળ કહેવાય છે. અથવા ચાર તોલા ભાર પુંવાડીઆનાં મૂળીઓ લઈ તેને કલક કરી જળભાંગરાના રસમાં સરસીયું તેલ નાખી તથા તે કચ્છ-ચટણીને પણ તેલમાં નાખી બહુજ થોડા તાપ ઉપર રાખી પકાવવું જ્યારે રસબળી એકલું તેલ રહે ત્યારે તેમાં ચોથા ભાગે સિંદૂર નાખીને ઉતારી લેવું. આ તેલનું મર્દન કરવાથી અતિ આકરી ગંડમાળા પણ તુરત મટી જાય છે-આ ચક્રમર્દ તલ કહેવાય છે. અથવા ચણોઠીનાં મૂળ તથા ચણોઠીઓ લઈ તેને કલ્ક કરી બમણ પાણીમાં મેળવી તેલની અંદર પકાવે, જ્યારે રસ માત્ર બળી માત્ર તે જ રહે ત્યારે ઉતારી લેવું. આ તેલના ચોળવાથી અને નાસથી અતિ આકરી ગંડમાળાપણું મટી જાય છે-આ ગુજાતલ કહેવાય છે.
અથવા ગરમાળાની જડ તથા વરીઆળી એ બન્નેને ચેખાના ધાવણમાં વાટી નાસ લેવાથી અને લેપ કરવાથી કંઠમાળા મટે છે. અથવા નગેડ અને વરીયાળી પાણીમાં વાટી તેને લેપ કરે તે કંઠમાળા મટે છે. અથવા પીળા સરસવ અને સુઅરની સુકાયેલી હદ્યાર સમાન ભાગે લઈ બન્નેની ભસ્મ કરી વસ્ત્રગાળ કરી સરસીયામાં કાલવી લેપન કરે તે ભયંકર અ ન મટી શકે તેવી પણ કંઠમાળા નાશ પામે છે એમાં જરા સંદેહ નથી. ઘરહસ્ય,
અપચીના ઉપાય. સરસવ, લીંબડાનાં પાન, અને ભીલામાં એઓને બાળી બકરીના મૂત્રમાં ઘુસી લેપ કરવાથી અપચી મટે છે. ચક્રદત્ત, અથવા રતાંજલી, હરડે, લાખ, વજ અને કડુ એએના કવાથમાં પકાવેલું તેલ પીવામાં આવે છે તેથી મૂળ સહિત અપચી મટી જાય છે-આ ચંદનાદિ તૈિલ કહેવાય છે. અથવા સુંઠ, મરી, પીપર, વાવડીંગ, જેઠીમધ, સિંધાલુણ અને દેવદાર એઓના કોથમાં સિદ્ધ કરેલું ( તેલ પકાવવાના વિધિ પ્રમાણે તિયાર કરેલું) તેલ તેને નાસ લેવાથી આકરી અપચી પણ મટી જાય છે-આ બેષાદિ તૈિલ કહેવાય છે ભાવપ્રકાશ.
ગ્રન્થી તથા રસળીના ઉપાય. સાજીખાર, મૂળાનો ખાર અને શંખનું ચૂર્ણ એઓને પાણી સાથે વાટી તેને લેપ કરવાથી ગાંઠ અને રળી મટી જાય છે. અથવા જાત્યાદિત ઉપયોગમાં લેવાથી ગાંઠ, અ
વૈદ્યવિનોદને કર્તા શંકર ભટ કહે છેકે છછુંદરનું તેલ કાહાડી-તેલમાં છછુંદર નાખી પકાવી સિદ્ધ કરેલું તેલ ગંડમાળા ઉપર ચોપડે તે મટી જાય છે.
૨ ગ્રંથી અને રસોળીના નિદાન, આકાર, દોષ કે દૂમાં જરાપણ તફાવત નથી અર્થાત્ એક સરખા જ છે માટે જે ઉપાય ગાંઠના તેજ રસળીના સમજવા.
For Private And Personal Use Only